________________
(૨) આત્મનિ ૬ (તૌ વન્ધમોક્ષૌ) ૧ (સ્તઃ) । અને આ બે, – બંધન અને મોક્ષ, – આત્મામાં તો છે જ નહીં.
-
આનું કારણ શું ?
હવે પછીનાં વાક્યમાં, એક પ્રશ્ન દ્વારા જ એ જણાવવામાં આવ્યું છે. (૩) રે તત્ત્વ (તયો: . વર્ધમોક્ષયોઃ) પના (તુ) તાઃ । આત્મા એટલે તો પરમ તત્ત્વ, એમાં તો આ બે-ની કલ્પના જ ક્યાંથી સંભવે ?
-
આ પરમતત્ત્વ કેવું છે ? વ્યોમવત્ એટલે કે આકાશની જેમ, તે આવું છે : निष्कले કલા એટલે ભાગ, અવયવ; અવયવ-વિનાનું, નિરવયવ; નિષ્ક્રિયે - કોઈ પણ પ્રકારની ક્રિયા-વિનાનું; શાન્ત; નિવદ્ય - નિર્દોષ; નિરંનને નિષ્કલંક, અને અદ્વિતીયે. (૫૭૪)
-
નિર્લેપ,
-
-
અનુવાદ :
આથી જ, બંધન અને મોક્ષ, એ બંને, (માત્ર) માયાની જ કલ્પના છે; આત્મામાં (તે બંને) છે જ નહીં : આકાશની જેમ, નિરવયવ, નિષ્ક્રિય, શાંત, નિર્દોષ, નિષ્કલંક અને અદ્વિતીય એવા પરમતત્ત્વ(આત્મા)માં તો, આવી કલ્પના જ ક્યાંથી સંભવે ? (૫૭૪)
ટિપ્પણ :
શ્લોકનો ભાવાર્થ સ્પષ્ટ છે અને આ પહેલાંના બે શ્લોકોમાં, જૂદી-જૂદી રીતે, બંધન અને મોક્ષ, આત્મામાં ન હોવા વિશેનું પ્રતિપાદન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. માયા એટલે જ એક એવું તત્ત્વ, જે, પોતે જ, અસ્તિત્વ ધરાવતું નથી, માત્ર એક કલ્પના જ છે. જે સ્વયં એક કલ્પના છે, એની વળી કલ્પના (માયાવતૃપ્તી) કેવી હોય ? હોય ખરી ?
બંધન અને મોક્ષ, - એ બંને બુદ્ધિને અભિભૂત કરી શકે. એનો પ્રભાવ બુદ્ધિ પૂરતો જ મર્યાદિત, એથી જરા પણ આગળ નહીં. આત્મા તો, સહુથી પર છે, આકાશની જેમ નિરવયવ, નિષ્ક્રિય, શાંત, નિર્દોષ, નિર્લેપ અને અદ્વિતીય છે ઃ આવા પરમતત્ત્વ(પરે તત્ત્વ)માં, એટલે કે આત્મામાં તો એ બંને(બંધન અને મોક્ષ)ની કલ્પના કરી જ કેમ શકાય ?
શ્લોકમાં છંદ તો અનુષ્ટુપ છે, પરંતુ તેમાં ત્રણ પંક્તિ અને છ ચરણો છે, તે નોંધપાત્ર છે. (૫૭૪)
ફર્મા - ૭૩
વિવેકચૂડામણિ / ૧૧૫૩