________________
46
ત્રિકાલાબાધિત, ‘નિત્ય’ છે; એના વિશે, અસ્તિ-નાસ્તિ(હોવા-ન-હોવા)નો સવાલ જ ઊભો થતો નથી ! ટૂંકમાં, આ “અસ્તિ-નાસ્તિ”, - એવી પ્રતીતિ, એ માત્ર બુદ્ધિના જ ગુણો છે. પરંતુ જે ‘નિત્ય’ (Absolute) છે, તેને તો કોઈ ગુણો હોઈ શકે જ નહીં. જેને ગુણો હોઈ શકે, તે એક પદાર્થ છે, અને જે પદાર્થ છે તે, હંમેશાં, પ્રમેય (Finite) હોય છે, પરિમિત છે, પરિચ્છેદ્ય છે, સમર્યાદ છે. તેની મર્યાદા પૂરી થઈ જાય, ત્યારપછી તે ન પણ હોય (7 અસ્તિવૃત્તિ).
આત્મા આવો કોઈ પ્રમેય પદાર્થ નથી, - એ તો ‘નિત્ય’ છે, એને કોઈ કાળ સાથે કશો સંબંધ જ નથી, તો પછી, એનાં ‘હોવા-ન-હોવા(અસ્તિ, 7 અસ્તિવૃતિ પ્રત્યયઃ)નો પ્રશ્ન જ અપ્રસ્તુત બની જાય છે (ન તુ નિત્યસ્ય વસ્તુન:) ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૭૩)
૫૪
अतस्तौ मायया क्लृप्तौ बन्धमोक्षौ न चात्मनि । निष्कले निष्क्रिये शान्ते निरवद्ये निरंजने । अद्वितीये परे तत्त्वे व्योमवत् कल्पना कुतः ॥५७४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અતસ્તૌ માયયા તૃપ્તૌ બન્ધમોક્ષૌ ન ચાત્મનિ । નિષ્કલે નિષ્ક્રિયે શાન્તે નિરવઘે નિરંજને । અદ્વિતીયે પરે તત્ત્વે વ્યોમવત્ કલ્પના કુતઃ ॥૫૭૪॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ
ગત: તૌ વન્ધમોક્ષો માયયા વતૃપ્તૌ (સ્ત:); આત્મનિ વ તૌ ન (સ્તર); व्योमवत् निष्कले निष्क्रिये शान्ते निरवद्ये निरंजने अद्वितीये परे तत्त्वे (तयो: વન્યમોક્ષયો:) ૫ના (તુ) તઃ ॥૧૭૪॥
શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) અત: તૌ વધમોક્ષૌ માયયા વતૃપ્તી (સ્ત:) । અતઃ એટલે આથી, આ કારણે, શ્લોકો-૫૭૨-૫૭૩માં પ્રતિપાદન થયા પ્રમાણે. બંધન અને મોક્ષ, - તે બંને, માયા વડે જ કલ્પવામાં આવ્યાં છે, માયા વડે અભિભૂત એવી બુદ્ધિનું જ સર્જન છે. ૧૧૫૨ / વિવેકચૂડામણિ