SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1133
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં વૃક્ષનાં પાંદડાંનાં ખરી પડવાની જ વાત હતી; અહીં, એમાં ફૂલો અને ફળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે; વળી, ત્યાં, પાંદડાંનાં ખરી પડવાના, માત્ર વૃક્ષના જ પ્રતિભાવો જણાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શરીર-વગેરેના વિનાશને, અહીં, પાંદડાં વગેરેના વિનાશ જેવો જ નિરૂપવામાં આવ્યો છે. વળી, એક વધારાની જે સ્પષ્ટતા અહીં કરવામાં આવી છે તે એ કે દેહાદિનો નાશ થાય છે, એનો અર્થ, હરગીઝ, એ નથી કે આત્માનો પણ વિનાશ થાય છે : આ આત્મા તો એક શાશ્વત અસ્તિત્વ (સ-માત્મ) અને આંનદનું જ મૂર્ત સ્વરૂપ (કાનન્દ-સાતિ, Embodiment of Bliss) છે; એટલે તે તો, પાંદડાં વગેરેનો વિનાશ થયા પછી પણ, પાંદડાં વગેરેના નાશથી સંપૂર્ણરીતે અસંબદ્ધ (Unaffected) એવા વૃક્ષની જેમ, નિત્ય, અડગ અને અવિનાશી જ રહે છે (Survives) : પાદડાં વગેરેના નારા સાથે જેમ વૃક્ષને કશો સંબંધ નથી, તેમ જ દેહાદિના નાશ સાથે આત્માને પણ કશો જ સંબંધ નથી. • શ્લોકનો છંદ : ઉપજાતિ (પ૬૧) ૫૨ 'प्रज्ञानघन' इत्यात्मलक्षणं सत्यसूचकम् । अनूद्यौपाधिकस्यैव कथयन्ति विनाशनम् ॥५६२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : “પ્રજ્ઞાનઘન' ઇત્યાત્મલક્ષણે સત્યસૂચકમ્ | અનૂધૌપાધિકચૈવ કથયત્તિ વિનાશનમ્ પદરા શ્લોકનો ગદ્ય અન્વય : 'प्रज्ञानघनः' इति आत्मलक्षणं सत्यसूचकं (अस्ति); अनूद्य-औपाधिकस्य एव विनाशनं कथयन्ति ॥५६२॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) “પ્રજ્ઞાનપ:' રૂતિ ગાત્મનક્ષM સત્યસૂર (તિ) પ્રજ્ઞાનધન એટલે જ્ઞાનસ્વરૂપ'; તલા એટલે વ્યાખ્યા (Definition); “આત્મા જ્ઞાનસ્વરૂપ છે”, - આત્માનું એવું લસણ, એની સત્યતાનું સૂચક છે. (ર) અનૂધ સૌપાધિસ્થ વિનાશ થતિ | આ વાક્યમાં વયક્તિ એ ૧૧૨૮ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy