________________
એટલે તરત જ, એટલે અભય,
:
શબ્દાર્થ :– મુખ્ય વાક્ય છે : અમીતિ દ્યાત્ । સહસા તત્ક્ષણ, વિના વિલંબ, મૌત્તિ એટલે ભય, ડર, બીક, ૩૧મીતિ નિર્ભયતા, ભયમાંથી છૂટકારો. આખા વાક્યનો અર્થ આ પ્રમાણે ઃ મહાત્માએ, એટલે ગુરુજીએ, તરત જ અભયદાન કરવું જોઈએ, અભયવચન આપવું જોઈએ. કોને ? શિષ્યને, મુમુક્ષુને, સાધકને. કર્મ (Object) માટેનો આ શબ્દ શ્લોકમાં અધ્યાહાર્ય (understood સમજી લેવાનો) છે. આ પહેલાંના શ્લોકો પરથી આપણે જાણીએ છીએ કે આવાં અભયવચન માટે પેલો શિષ્ય ગુરુજી સમક્ષ હાથ જોડીને જ ઊભો છે. એ શિષ્ય કેવો છે ? એનાં વિશેષણો આ પ્રમાણે : તથા વાં તે પ્રમાણે બોલતો, પ્રાર્થના કરતો, સ્વં શરતં પોતાને શરણે આવેલો, અને સંસારવાવાનાતાપતાં. એ શિષ્યે, આ પહેલાં, પોતે જ, એકરાર કર્યો છે તેમ, તે સંસારરૂપી દાવાનળના તાપથી તપ્ત છે, દાઝેલો છે, એટલે, સૌપ્રથમ તો, ગુરુજીએ તેને, તરત જ, એ દાવાનળના તાપમાંથી મુક્ત કરવો જોઈએ, તેને તે તાપના ભયમાંથી છૂટકારો આપવો જોઈએ : ‘ચિંતા કર મા, તું મારે શરણે આવ્યો છે, તેથી તારે હવે કશાથી ડરવાનું રહેતું નથી,' - એવું અભયવચન તેને આપવું જોઈએ. પરંતુ ગુરુએ આ પ્રક્રિયા કેવી રીતે કરવી જોઈએ ? - લૂછ્યા - પોતાની દૃષ્ટિથી. શિષ્યને જોઈને નિરીક્ષ્ય. એ દૃષ્ટિ કેવી છે ? ામુખ્યરસાર્દ્ર કરુણાના રસથી આર્દ્ર, ભીની, ભીંજવતી, નીતરતી. (૪૩)
અનુવાદ :— તે પ્રમાણે બોલતા, પોતાને શરણે આવેલા અને સંસારરૂપી દાવાનળથી ખૂબ દાઝેલા(એવા તે, મુમુક્ષુ)ને મહાત્માએ (ગુરુજીએ) (પોતાની) કરુણારસથી નીતરતી નજરે જોઈને, વિના વિલંબે, તેને અભયદાન આપવું જોઈએ. (૪૩)
ટિપ્પણ :– સંસારના તાપથી દાઝેલો શિષ્ય તો, ગુરુ સમક્ષ, શરણે આવીને, હાથ જોડીને, આગળના શ્લોકો પ્રમાણે, પ્રાર્થના કરતો, ઊભો જ છે. એ સળગી રહ્યો છે, એટલે ગુરુજીએ સૌપ્રથમ તો પેલા અગ્નિમાંથી એને ઊગારી લેવો જોઈએ, એને ટાઢક આપવી જોઈએ, પરંતુ અહીં હોસ્પિટલના Burns-વિભાગની વાત નથી. કરુણાના રસથી સતત નીતરતી ગુરુજીની નજર જ, એમનો એક દૃષ્ટિપાત જ, આ માટે પૂરતો છે ! આ જ ચમત્કાર છે, સાચા સદ્ગુરુની નજરનો ! જેવા ગુરુ પેલા સામે જુએ કે તરત જ (સહસા), શિષ્ય અગ્નિ(ગન)ના ભયથી મુક્ત થઈ જાય ! વળી, એમને કશું બોલવું પડતું નથી. એમની આવી મૌન-નજર જ એને નિર્ભય કરી નાખે છે. એ દૃષ્ટિપાત એટલે જ અભયવચન ! એ દૃષ્ટિપાતનો જાદુ એ હોય છે કે શરણાગત પ્રત્યેના દયાભાવના રસથી તે સદા-સભર હોય છે !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૩)
૧૦૮ | વિવેકચૂડામણિ