________________
કરીને, કૃપા કરીને, મારી આ પરિસ્થિતિમાંથી બચાવો, ઉગારો, (ક). (મ) સંસાકુવર્ણાતિં માતનુષ્ય | ક્ષતિ એટલે નાશ, દૂર કરવું, પરહરવું, અંત લાવવો, ક્ષતિં મતનુષ્ય – નાશ કરો, દૂર કરો, પરહરો. (૪૨).
અનુવાદ - આ ભવસાગરને હું કેવી રીતે કરીશ? વળી, મારી ગતિ કેવી થશે? (આનો) ઉપાય શો ક્વો) છે? (આમાંનું કશું જ હું જાણતો નથી. હે પ્રભો ! (કૃપા કરીને) મને (આમાંથી) ઉગારી લ્યો, મારાં સંસારદુઃખોનો નાશ કરો. (૪૨)
ટિપ્પણ – શ્લોક સહેલો છે. શિષ્ય પોતાની મુંઝવણ ગુરુજી સમક્ષ વ્યક્ત કરી : આ માટે તેણે ત્રણ પ્રશ્નો પૂછ્યા, પોતાનાં અજ્ઞાનનો એકરાર કર્યો અને પછી યાચના કરી : “આ વિષમ પરિસ્થિતિમાંથી મને બચાવી લો અને તે માટે મારાં સર્વ સંસાર-દુઃખોને દૂર કરો.” એના ત્રણેય સવાલો, અજ્ઞાનની એની કબૂલાત અને સદગુરુ સમક્ષની એની વિનંતી,- આ બધું યે, શિષ્યની નમ્રતા, નિખાલસતા અને નિષ્ઠા, - એના સમગ્ર સ્વભાવની પારદર્શકતા, - સૂચવી રહે છે :
કુરુક્ષેત્રનાં યુદ્ધમાં લડવું કે ન લડવું, - એવી રીતે પોતાની ફરજ (ધર્મ) બાબત જેની મતિ મુંઝાઈ ગઈ હતી, એવા અર્જુને શ્રીકૃષ્ણને કહેલાં વચનો અહીં સ્મરણે ચઢે છે :
શિષ્યતૈડ૬ ધ માં ત્યાં પ્રપન્નમ્ I (ગીતા ર, ૭) - (‘હું આપનો શિષ્ય છું : પ્રપતિભાવે આપને શરણે આવ્યો છું, મને માર્ગદર્શન આપો.')
શ્લોકનો છંદ : “ઉપજાતિ' (૪૨)
૪૩ तथा वदन्तं शरणागतं स्वं
संसारदावानलतापतप्तम् । निरीक्ष्य कारुण्यरसादृष्ट्या
दद्यादभीतिं सहसा महात्मा ॥ ४३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ -
તથા વદત્ત શરણાગતિ સ્વ
સંસારદાવાનલતાપતપ્તમુ. નિરીક્ષ્ય કારુણ્યરસાર્વદયા
દઘાદભીતિ સહસા મહાત્મા ! ૪૩ || શ્લોકનો ગદ્ય અન્વય– તથા વન્ત વં ૨MIPતિ સંસારાવાનતાપતi (च) (शिष्यं, मुमुक्षु) कारुण्यरसादृष्ट्या निरीक्ष्य, महात्मा, सहसा अभीति દ્યાત્ || ૪રૂ I
- વિવેકચૂડામણિ / ૧૦૭