________________
ઝાડનું પાંદડું કેવું છે? – યત્ર 4 કપ પતનાત્ વિશીને સન્ – ગમે ત્યાં ખરી પડેલું, પડીને વિશીર્ણ થયેલું. (૫૫૭) અનુવાદ :
ગમે ત્યાં પડીને વિશીર્ણ થઈ ગયેલાં, ઝાડનાં પાંદડાં જેવું, બ્રહ્મીભૂત થયેલા યોગીનું શરીર તો, અગાઉથી જ, તે જ ચૈતન્યરૂપ અગ્નિ વડે બની ચૂકેલું જ હોય છે. (પપ૭) ટિપ્પણ:
બ્રહ્મસાક્ષાત્કાર પામેલા “જીવન્મુક્ત’નાં શરીરરૂપી ઉપાધિના નાશની વાત (૩fધનાશ) શ્લોક-પપપમાં કહેવામાં આવી હતી.
હવે આ જ વાતને આગળ વધારીને, તે ઉપાધિનો નાશ ક્યાં થાય, ક્યારે થાય, કેવી રીતે થાય, - એની નિરર્થકતાની અહીં ચર્ચા કરવામાં આવી છે : આ તો યોગી છે, અને “સાધુ તો ચલતા ભલા !' - એ પ્રચલિત ઉક્તિ પ્રમાણે, સતત પરિભ્રમણ કરી રહેલા આ બ્રહ્મીભૂત યતિની શરીરરૂપી ઉપાધિનો નાશ, એટલે કે એનું દેહાવસાન, કાશી-મથુરા-હરદ્વાર જેવાં કોઈ પવિત્ર સ્થળે થાય કે કોઈ નિર્જન વનમાં વિહાર કરતાં થાય; પૂર્ણિમા કે અમાવાસ્યાની તિથિએ થાય, પવિત્ર બ્રાહ્મમુહૂર્ત, ખરે બપોરે કે મધરાતે થાય, - આવાં કોઈ જ સ્થળ-સમયનો મહિમા આ યોગીને હોતો નથી. દેહાવસાન પછી, શરીરનો અગ્નિસંસ્કાર કરવાની પ્રથા પ્રમાણે, એના શરીરને પણ ભલે અગ્નિ-ભગવાનને અર્પણ કરી દેવામાં આવે; કારણ કે એ તો બ્રહ્મભાવને પામેલો “જીવન્મુક્ત' છે, એટલે આવાં સ્થૂલ મૃત્યુ પહેલાં, એનું પંચમહાભૂતનું બનેલું આ “શરીર” “અશરીર’ બન્યું તે અગાઉ જ (ા પર્વ), તેણે પોતે જ, ચૈતન્યરૂપી અગ્નિ દ્વારા જ તેનો અગ્નિસંસ્કાર કરી નાખ્યો હોય છે (તતિ-નિના ધમ) ! એટલે એ શરીરનો આ પૂલ રીતે અગ્નિસંસ્કાર થાય ત્યાં સુધી તેને રાહ જોવાની હોતી નથી : ઉપાધિરૂપ જે શરીર સાથે તે મૃત્યુ સુધી જીવે છે, તે શરીરનું મહત્ત્વ તેને “ચપટી ભસ્મ'થી વધારે હોતું નથી ! “ચપટી ભસ્મ' જેવું એ શરીર, ફરી એક વાર ભસ્મીભૂત બને છે, એટલું જ !
શરીર વિશેની આવી વિભાવનાને સમજાવવા માટે, આચાર્યશ્રીએ, આવાં શરીરને, વૃક્ષ પરથી, પાકીને, નીચે ખરી પડેલાં પાંદડાંની ઉપમા આપી છે, તે પણ, આ પહેલાંની તેમની લગભગ બધી ઉપમાઓ જેવી જ, ઔચિત્યપૂર્ણ અને અર્થસાધક છે. વૃક્ષ પરથી ખરીને પાંદડું નીચે પડે (વિશોળ પળ વ), તે પહેલાં જ,
વિવેકચૂડામણિ | ૧૧૧૯