________________
(રહે) છે, તેવી જ રીતે શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની સદા બ્રહ્મ જ છે, અન્ય (કોઈ, કંઈ) નહીં. (૫૫૬)
ટિપ્પણ :
જીવન્મુક્ત' થયેલાં શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની વિશેની, ગયા શ્લોકમાંની, ચર્ચા, અહીં પણ ચાલુ જ છે, અને ગયા શ્લોકમાંનાં એ જ પ્રતિપાદનનું, આચાર્યશ્રીની સિદ્ધ થયેલી નિરૂપણ-શૈલી પ્રમાણે, એક સુંદર અને સમુચિત દૃષ્ટાંત દ્વારા, અહીં સમર્થન કરવામાં આવ્યું છે.
મોક્ષપ્રાપ્તિની સામાન્ય વિભાવના પ્રમાણે, કોઈ સાધક, મૃત્યુ પછી મોક્ષ પામે ત્યારે, એટલે કે એ રીતે બ્રહ્મલીન થાય ત્યારે, ત્યારપછી, તેનાં શરીરરૂપી ઉપાધિ તેની સાથે નથી રહેતી; જ્યારે જીવન્મુક્ત’ સાધકને તો, મુક્તિ પછી, એનાં આયુષ્યનાં અંત સુધી, એટલે કે તે મૃત્યુ પામે ત્યાં સુધી, તેનાં શરીરરૂપી ઉપાધિ તેની સાથે જ હોય છે. મૃત્યુ સાથે જ તેની તે ઉપાધિ પણ નાશ પામે છે (ઉપાધિનાશાત્ વગેરે, શ્લોક-૫૫૫).
અહીં જે પ્રતિપાદયિતવ્ય છે તે તો એ જ અને એટલું જ છે કે ઉપાધિયુક્ત હોય કે ઉપાધિ-રહિત હોય, શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની, સદા બ્રહ્મ જ હોય છે, બીજો કોઈ હોતો નથી (બ્રહ્મવિષ્કૃષ્ઠ સવા બ્રહ્મ વ મસ્તિ, 7 શ્ચિત્ અપ: મતિ )
શ્લોકમાં, આચાર્યશ્રીએ, જે દૃષ્ટાંત આપ્યું છે તે, ખરેખર, કોઈ પણ સ્વાધ્યાયીનાં અંતસ્તલને સ્પર્શી જાય એવું છે : અભિનેતા માટે તો, અભિનય એ એનો વ્યવસાય છે. જે નાટક-મંડળીમાં તે નોકરી કરતો હોય, તેનો મેનેજર કે દિગ્દર્શક તેને જે પાઠ’ ભજવવાનું સૂચવે, તે પાઠ’ તેને ભજવવો જ પડે ઃ રાજા, સંન્યાસી, સૈનિક, લૂંટારો, - ગમે તેવો પાઠ’, રાત્રે, રંગભૂમિ પર, તે ભજવતો હોય, આવી બધી વિવિધ વેશભૂષા તો એના માટે, રોજ બદલાતી રહેતી, માત્ર ‘ઉપાધિ’ જ છે. વિવિધ ભૂમિકા ભજવતા નટ (Actor) તરીકે, (દા. ત. ‘અમિતાભ બચ્ચન' તરીકે) તો, તે, એકસરખો મનુષ્ય (પુના) જ છે, – પોતાની ભૂમિકાની પેલી વેષભૂષા તેણે પહેરી હોય કે ન પહેરી હોય (વેષ-સન્માન-ઝમાવયો:) તો પણ ! એની એ વેષભૂષાનો મહિમા તો તે રંગભૂમિ (Stage) પર હોય એટલા પૂરતો જ હોય છે, નાટક પૂરું થતાં, તે ગ્રીનરૂમ'(Green-Room)માં જાય, અને પેલો ‘મેઈક-અપ' (Make-up) કાઢી નાખે, પછી તો, તે એ જ સામાન્ય મનુષ્ય, અમિતાભ બચ્ચન' જ !
–
બ્રહ્મીભૂત થયેલો જીવન્મુક્ત', શરીરરૂપી ઉપાધિ સાથે હોય કે એનાથી રહિત હોય, તે તો, સદા બ્રહ્મ જ રહે છે ઃ ઉપાધિ, એના માટે, પેલા નટની વેષભૂષા વિવેકચૂડામણિ / ૧૧૧૭