________________
તો પછી, તે જ આ બ્રહ્મજ્ઞાની, આ સમગ્ર સમય દરમિયાન, શું કરતો હોય છે? - આ બે પ્રકારનો અભિગમ જાળવી રાખે છે : (અ) સ્વ-માન-સારસપાન-સુમત્ત-વિર: (સન) | સાન્ટ એટલે ઘનીભૂત, સઘન, ઘટ્ટ; સુમન એટલે સારી રીતે મત્ત, ઉન્મત્ત; પોતાના આનંદરૂપી અમૃત(Ecstasy of elixir of Biss)નાં સઘન રસપાન દ્વારા, સારી રીતે મત્ત-ચિત્તવાળો બનીને, થઈને); બ). ૩૫ર્શન-ન્નક્ષસ્થ: (અ) | ૩પવન એટલે ઉપદષ્ટા, સાક્ષી; સાક્ષી જેવાં લક્ષણોવાળો બનીને, એવાં લક્ષણો ધારણ કરીને.
આવા બે પ્રકારનું વલણ અપનાવીને, તે જ આ બ્રહ્મજ્ઞાની, ઉપર્યુક્ત ત્રણ પ્રક્રિયાઓ કરતો જ નથી, એમાં સંડોવાતો નથી, એનાથી અળગો જ રહે છે. (પપ૩) અનુવાદ :
તે જ આ (બ્રહ્મજ્ઞાની), પોતાના આનંદરૂપી અમૃતનાં સઘન રસપાન વડે પોતાનાં ચિત્તને ઉન્મત્ત રાખીને અને સાક્ષી જેવાં લક્ષણો ધારણ કરીને, (પોતાની) ઇન્દ્રિયોને વિષયોમાં નથી જોડતો કે નથી તેમને તેમ કરતાં રોકતો; વળી, તે પોતાનાં) કર્મના ફળની જરા પણ અપેક્ષા રાખતો નથી. (પપ૩), ટિપ્પણ:
આપણે, આ પહેલાં, જોયું છે કે બ્રહ્મસાક્ષાત્કાર પછી પણ, જીવન્મુક્ત આત્મજ્ઞાનીને, પોતાનાં એ જ શરીર વગેરેની સાથે, આ જ સંસારમાં, આયુષ્યનો શેષ સમય વ્યતીત કરવાનો હોય છે. સંસારમાંનાં તેનાં કાળનિર્ગમન દરમિયાન, સાંસારિક પ્રવૃત્તિઓ તરફ (Transactions) તેનો અભિગમ, તેનું વલણ વગેરે કેવાં હોય છે, - તેનો નિર્દેશ અહીં કરવામાં આવ્યો છે. | પહેલી વાત તો એ છે કે, પોતાની ઇન્દ્રિયોને સભાન રીતે કે પ્રયત્નપૂર્વક વિષયો તરફ જવા પ્રેરતો નથી ( વ નિયુ); પરંતુ જો ઇન્દ્રિયો પોતાના મૂળ સ્વભાવ પ્રમાણે, વિષયો તરફ સ્વયમેવ ગતિ કરતી હોય તો, એવા જ ભાન કે પ્રયત્ન વડે, તે, તેમને રોકતો પણ નથી : સાચી વાત તો એ છે કે ઇન્દ્રિયોના વિષયભોગમાં નથી તેને પોતાના અંગત રસ-રાગ, અને એ જ રીતે નથી તેમાં તેને દ્વેષ-અણગમો કે નફરત. કોઈ પણ કર્મ સકામ હોય કે નિષ્કામ, તેને તેમાં કશા રાગદ્વેષ હોતા નથી : તેનું વલણ તો એક સાચા સિદ્ધ બ્રહ્મજ્ઞાનીને છાજે એવું નિષ્પક્ષ હોય છે. આવી સર્વ પ્રવૃત્તિઓ-પ્રક્રિયાઓ ચાલી રહી હોય ત્યારે, પોતાના સમગ્ર જીવનવ્યવહાર પ્રત્યે, તે તો, “શરીરી” છતાં “અશરીરીની જેમ, મૂક પ્રેક્ષકની માફક
૧૧૧૦ | વિવેકચૂડામણિ