________________
(Like an unconcerned onlooker), તે તો સાક્ષીભાવે, તટસ્થભાવે, જોયા કરતો હોય છે (૩૫ર્શન-સૂક્ષસ્થ:). આવા ઉપદષ્ટ બનવામાં પણ તેને કશો વાંધો હોતો નથી.
બીજું એ કે જેમ ઈન્દ્રિયોને તે વિષયો તરફ પ્રેરતો નથી કે તે તરફ જતી હોય તો તેમને રોક્તો નથીતે જ રીતે તેને નથી રસ કર્મમાં કે તે જ કર્મનાં ફળમાં : હકીકતમાં, આ બાબતમાં પણ તેને જરા પણ અપેક્ષા હોતી નથી (ષ૬ अपि क्रियाफलं न अपेक्षते ।)
ઉપર્યુક્ત બંને, સામાન્યતઃ અશક્ય, એવા અભિગમો સફળતાપૂર્વક તે સંપન્ન કરી શકે છે, એની પાછળનું સાચું કારણ એ છે કે તે જ આ (સ: પs:) બ્રહ્મવેત્તાનું ચિત્ત તો, સદા-સર્વદા, પોતાના આનંદનાં ઘનીભૂત રસપાનમાં જ મસ્ત હોય છે, સુમત્ત હોય છે, ઉન્મત્ત હોય છે ! (સ્વાનન્દ-સાન્દ્ર-રસપાન-સુમત્ત-વિરઃ )
વિષયોના ઉપભોગોમાંથી સાંપડતા સર્વ સ્થૂલ આનંદ પ્રત્યે તે ઉદાસીન એટલા માટે હોય છે કે આત્માના અમિશ્ર અને સઘન રસનાં પાન વડે એનાં મનહૃદય સદા-સર્વત્ર, સાત્ત્વિક રીતે, સુ-મત્ત હોય છે : નિજાનંદની એ રસ-મસ્તી સમક્ષ, વિષય-વાસનાના ઇન્દ્રિય-કક્ષાના આ હીન, “કહેવાતા” (So-called) આનંદોની શી વિસાત !
ક્યાં ઉચ્ચ, આધ્યાત્મિક આનંદ-ઘન રસામૃત, અને ક્યાં અધઃપતનની ઊંડી ખીણ તરફ પટકતું પ્રાણઘાતક વિષ !
શ્લોકનો છંદઃ વસંતતિલકા (૫૫૩)
પપ૪ लक्ष्यालक्ष्यगतिं त्यक्त्वा यस्तिष्ठेत् केवलात्मना ।
शिव एव स्वयं साक्षादयं ब्रह्मविदुत्तमः ॥५५४॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
લક્ષ્યાલક્ષ્યગતિ ત્યકત્વા યતિષ્ઠત્ કેવલાત્મના /
શિવ એવ સ્વયં સાક્ષાદય બ્રહ્મવિદુત્તમઃ ૫૫૪ શ્લોકનો ગદ્ય અન્વય ?
यः लक्ष्य-अलक्ष्य-गतिं त्यक्त्वा केवलात्मना तिष्ठेत् , (सः) अयं બ્રહ્મવિ-ઉત્તમ: સ્વયં સાક્ષાત્ શિવ: પવ (તિ) વિઝા
વિવેકચૂડામણિ / ૧૧૧૧