________________
ટિપ્પણ:
- આ શ્લોકમાં પણ, ગયા શ્લોકની જેમ, શ્લોકનાં ચારેય ચરણોમાં પરસ્પરઅથર્વપરીત્ય' - જેને અંગ્રેજીમાં Antithesis-નામક અલંકાર (Figure of Speech). કહેવામાં આવે છે, તેનું નિરૂપણ છે : આ બ્રહ્મજ્ઞાનીને, “જીવન્મુક્ત' થયા પછી પણ, તેનું પોતાનું શરીર તો છે જ; એટલે ખાવું-પીવું, બોલવું-ચાલવું-બેસવું-ઊઠવું, ઊંઘવું-જાગવું વગેરે કર્મો તો થતાં-રહેતાં જ હોય, એટલે આપણી સામાન્ય-બાહ્ય દૃષ્ટિએ તે કર્તા અવશ્ય ગણાય; છતાં, એ તો એમ જ કહે કે “હું શું કરું? શરીરમન-બુદ્ધિ વગેરે એમનાં પ્રારબ્ધ” પ્રમાણે કર્મ કરે, એને હું કેમ રોકી શકું ? પરંતુ હું એ સહુની સાથે જોડાતો નથી : હું તો એ સર્વનો માત્ર “સાક્ષી' જ છું !” . આમ, તે તે કર્મોનો “કર્તા છતાં, સૂક્ષ્મ દષ્ટિએ, તે, “અકર્તા (યુર્વનું પ અર્વાદ) ઠરે છે !
વળી, એનું જ શરીર આ સર્વ કર્મો કરતું હોવાથી, એ સર્વ કર્મોનાં સારાંમાઠાં ફળ, - ભૂખ, તરસ, થાક, આરામ, નિદ્રા વગેરે, – પણ, શરીર જ ભોગવતું હોવાથી, એટલા પૂરતો તેને “ફલ-ભોક્તા' (Bત્તમો) જરૂર માનવો જ પડે; પરંતુ એની દલીલ, આ અનુસંધાનમાં, આ પ્રમાણે હોય છે : “આ શરીર-મનબુદ્ધિ વગેરે “મારામાં–મારી સાથે હોવા છતાં, હું તેમનામાં નથી', હું તો તેમનાથી - સંપૂર્ણરીતે અળગો છું, નિર્મમ છું, નિરહંકાર છું, તેથી તે ફળ સાથે મારે કશો જ સંબંધ નથી”, - આ સૂક્ષ્મ દૃષ્ટિએ, તે, ફળનો મોwા સાબિત થાય છે !
આપણે જોયું તેમ, બ્રહ્મજ્ઞાનીને પણ, તે જીવે ત્યાં સુધી શરીર તો હોય છે જ, તેથી તે “શરીરી’ તો અવશ્ય છે જ, પરંતુ શરીર સાથે તેને કશું જ તાદાત્મ ! (Identification) ન હોવાથી, એની સાથે તેને પોતાનો કશો “અહંભાવ, “મમભાવ ન હોવાથી, આવી સૂક્ષ્મ દૃષ્ટિએ, તેને “અશરીરી' તરીકે નિઃશંક સ્વીકારી શકાય.
અને આમ તો, એક મનુષ્ય તરીકે, દેહાદિ-સંબંધને લીધે, અમુક થોડાં સ્થળે જ, તે, રહેતો-વસતો (પરિછિન:) હોય, તેમ છતાં, તેનો સાચો અને સૂક્ષ્મ સંબંધ તો સર્વગામી (સર્વ:), સર્વવ્યાપી આત્મા (Self) સાથે હોવાથી, આવી સૂક્ષ્મ દષ્ટિએ, તેને કશા પરિચ્છેદો (Limitations) રહેતા નથી, તે પણ આત્મા જેવો જ સર્વગામી' (Omnipresent) બની જાય છે !
આ રીતે, બંને પરસ્પર-વિરુદ્ધ અર્થો વચ્ચેના વિરોધનું નિવારણ થઈ જાય
શ્લોકનો છંદ અનુષુપ (૫૪૫) ૧૦૯૪ | વિવેકચૂડામણિ