________________
(૧) અષ: (બ્રહ્મવેત્તા) કુર્વિદ્ પ : (તિ) ર્વનું અને અર્વાગ: ( એટલે “કરવું - એ ધાતુનું પરસ્મપદ-વર્તમાનકૃદંતનું રૂપ, - ર્વન; અને એ જ ધાતુનું આત્મને પદ-વર્તમાનકૃદંતનું રૂપ, - , - એટલે “કરતો Doing “ક”); મા , એટલે “ન કરતો', “અકર્તા'. ક્રિયાઓ કરવા છતાં, આ બ્રહ્મજ્ઞાની “અકર્તા છે.
સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે, ક્રિયાપદો (Verbs) માટેના ધાતુઓ (Roots) બે પ્રકારના છે : “પરસ્મપદી” અને “આત્મપદી”. કેટલાક ધાતુઓ માત્ર “પરસ્મપદી” હોય છે, કેટલાક માત્ર “આત્મપદી”, જ્યારે કેટલાક ધાતુઓ “ઉભયપદી”, એટલે કે “પરસ્મપદી” તથા “આત્મપદી” બંને પ્રકારના હોય છે. આ બંને “પદો માટેના પ્રત્યયો જૂદા-જૂદા હોય છે, અને તે બંને પ્રકારના ધાતુઓનાં બધાં જ રૂપો, તે-તે પ્રત્યયો પ્રમાણે, જૂદાં-જુદાં, થાય છે.
આવી બધી શાસ્ત્રીય વિગતોમાં ઊતરવાનું અહીં આવશ્યક નથી, પરંતુ આટલી સ્પષ્ટતા બસ થશે કે કૃ-ધાતુ “ઉભયપદી” હોવાથી, વર્તમાનકૃદંતનાં, બંને “પદો” આ પ્રમાણે, જૂદાં-જૂદાં, બે થાય છે : ર્વ-ઉર્વન (પરસ્મપદ) અને પુન: (આત્મપદ). ,
(૨) નમી પ અમોજી (મતિ) I (કર્મનાં) ફળોને ભોગવતો હોવા છતાં, તેમને ન ભોગવતો, એવો અ-ભોક્તા તે છે. | (૩) શરીરી પિ અશરીરી (સ્તિ) | શરીર એ શબ્દ પરથી, “શરીરધારણ કરનાર' માટે શબ્દ બન્યો, - શારીરિન ! તેનું પુંલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું ૩પ. - શરીરી એટલે દેહધારી; અશરીરી એટલે દેહ-વિનાનો, વિદેહી. આ બ્રહ્મવેત્તા દેહધારી હોવા છતાં વિદેહી છે.
- (૪) પરિછિન્નઃ પ સંર્વ: (તિ) | પરિજીિન એટલે મર્યાદાઓવાળો; અમુક એક જ સ્થાનમાં રહેતો, Limited, Localised. સર્વ: એટલે સર્વગામી (સર્વ છિતિ મસી . ઉપપદ-સમાસ), સર્વત્ર રહેનાર, સર્વવ્યાપી (Omnipresent). (૫૪૫) અનુવાદ :
(આ બ્રહ્મજ્ઞાની) “કર્તા છતાં “અકર્તા છે, (કર્મ-)ફળોનો “ભોક્તા' હોવા છતાં “અભોક્તા છે; દેહધારી હોવા છતાં “વિદેહી' છે; અને પરિચ્છિ” (કોઈ એક મર્યાદિત સ્થળે રહેનારો) હોવા છતાં “સર્વગામી (સર્વવ્યાપી) છે. (૫૪૫)
વિવેકચૂડામણિ / ૧૦૯૩