________________
અઢળક વૈભવમાં આળોટતો દેખાતો હોય, ક્યારેક વળી ચીંથરેહાલ રખડતા ભિખારી જેવી જ એની અવદશા હોય !
અને કોઈક વાર તો, “આળસુનો પીર' જેવા, જંગલમાંના કોઈક નિરાંતે નિષ્ક્રિય પડ્યા રહેતા અજગર (Python) જેવો આચાર, આ જ બ્રહ્મજ્ઞાની ધારણ કરે ! ખાવાનું મળે તો યે શું, અને ન મળે તો યે શું ?
સંસારમાં રહેવા છતાં, સંસારી જીવનમાં માન્ય થયેલાં કોઈ જ ચોકઠાં સાથે જેની જીવનશૈલી જરા પણ બંધબેસતી જણાય જ નહીં, – એ જ આ “જીવન્મુક્ત' પ્રાજ્ઞ !
આ પ્રાજ્ઞ વિશેનું, ક્યારેક (વિ) “આવો”, તો ક્યારેક ( વિ) તેવો”, – એવું જે ચિત્ર અહીં નિરૂપવામાં આવ્યું છે, તે વાંચ્યા પછી, જરા અપ્રસ્તુત છતાં, બે પરસ્પર-વિલક્ષણ અંતિમો (Extremes) વચ્ચે હિલાળો ખાતાં સંસારનું, અમરયોગીન્દ્ર કવિ ભર્તુહરિએ આલેખેલું, આ ચિત્ર, અવશ્ય યાદ આવી જાય :
क्वचिद् वीणावाद्यं क्वचिदपि च हाहेति रुदितं
. क्वचिन्नारी रम्या क्वचिदपि जराजर्जरवपुः । . क्वचिद् विद्वद्गोष्ठी क्वचिदपि सुरामत्तकलहो .. न जाने संसारः किममृतमयः किं विषमयः ॥
- “વૈરાગ્યશતક', ૮૯ (“આ સંસારમાં ક્યાંક એક સ્થળે સંગીતનો મનોરંજક જલસો જામ્યો હોય, તો ક્યાંક બીજે ઠેકાણે એકના એક યુવાન પુત્રનાં મૃત્યુને કારણે કરુણ કલ્પાંત ચાલતું હોય; ક્યાંક ભરયુવાનીનાં સૌન્દર્યવાળી જોબનવંતી નાર હોય, તો ક્યાંક વળી જરા વડે જર્જરિત કાયાવાળી અતિવયોવૃદ્ધ કોઈક ડોશી હોય; ક્યાંક વળી મહાવિદ્વાનોની ઉચ્ચ પ્રકારની સાહિત્યગોષ્ઠી ચાલી રહી હોય, તો ક્યાંક વળી અન્ય સ્થળે દારૂ પીને છાકટા થયેલા દારૂડિયાઓની સામસામી મારામારી ચાલી હોય !”
આવાં સામ-સામાં ત્રણ ચિત્ર જોયા પછી કવિનાં અંતઃકરણમાંથી વેદનાસભર ઉદ્દગારો સરી પડે છે કે મને સમજ નથી પડતી કે આ સંસાર અમૃતમય છે કે વિષમય !”).
| શ્લોક-૫૪૩ની રચના-સમયે, સંભવ છે કે આચાર્યશ્રીનાં “આંતર-મન'(Subconscious mind)માં ભર્તુહરિનો આ ઉપર્યુક્ત શ્લોક હોય.
શ્લોકનો છંદ શિખરિણી (૫૪૩)
ફર્મા - ૬૯
- વિવેકચૂડામણિ | ૧૦૮૯