________________
ક્યારેક અજગરના જેવા આચારવાળો જણાતો-દેખાતો; તિતઃ એટલે યુક્ત; (૫) વિવત્ પાત્રીભૂત:, ચિત્ પ અવમતઃ । કોઈ વાર સન્માનિત, તો વળી કોઈ વાર અપમાનિત બનતો. (૫૪૩)
અનુવાદ :
(આવો) નિરંતર પરમાનંદથી સુખી થયેલો જ્ઞાની, ક્યારેક મૂર્ખ તો વળી ક્યારેક વિદ્વાન્, ક્યારેક વળી કોઈક મહારાજાના જેવા વૈભવવાળો, કોઈ વાર ભ્રાંત તો વળી કદિક શાણો, કોઈ વાર અજગરના જેવા આચારવાળો જણાતો, કોઈક વાર સન્માનિત તો વળી ક્યારેક અપમાનિત થતો, ક્યારેક સાવ અજાણ્યો રહીને, ઘૂમતો ૨હે છે. (૫૪૩)
ટિપ્પણ :
કેવું જીવન જીવે તો માણસ શાણો અને ડાહ્યો-ડમરો (સૌમ્ય:) ગણાય અને ક્યારે તે ભ્રમણાનો ભોગ બનેલો ગણાય (પ્રાન્ત:) ? ક્યારે તે મૂર્ખ અને અક્કલવગરનો (મૂદ:) દેખાય, અને ક્યારે તે બહુશ્રુત પંડિત (વિજ્ઞાન) જણાય ? ક્યારે તે મોજશોખને માણતો, બાદશાહી વૈભવનો માલિક (મહારાનવિભવ:) બને ? ક્યારે તે સન્માન-પાત્ર ગણાય (પાત્રીભૂતઃ) અને ક્યારે હડધૂત કરવા જેવો (અવમત:) ગણાય ? – જીવનનાં આવાં અનેક સારાં-નરસાં સ્વરૂપો વિશેની, એક સુનિશ્ચિત ‘વિભાવના’ (Concept), ‘નિદર્શના' (Pattern), એ વિશેનો એક સર્વ-સ્વીકૃત આદર્શ (Ideal), - આપણાં સાંસારિક જીવનમાં પ્રવર્તે છે.
-
-
પરંતુ આ બ્રહ્મવેત્તા ? આ પ્રાજ્ઞ ? એ તો નિજાનંદમાં રાચતો મસ્તરામ ! આવી સારી-નરસી વિભાવનાઓ' કે ‘નિદર્શનાઓ', આવા કોઈ ‘આદર્શો' કે ‘નમૂનાઓ’નાં એને કશાં બંધનો નથી. અને એટલે જ, તે પોતે જ ક્યારેક મહાપંડિત જેવો લાગે, તો વળી ક્યારેક સાવ ‘અક્કલના ઓથમીર' જેવો ! ક્યારેક ભ્રમણાંઓની માયાજાળમાં પરિભ્રમણ કરતો, તો ક્યારેક વળી ‘ડહાપણાના દરિયા’ જેવો ! ક્યારેક બહુમાન કરવા જેવો, તો ક્યારેક તિરસ્કાર-યોગ્ય ! આમ, રંગભૂમિ પર અનેક પ્રકારના, પરસ્પર-વિરુદ્ધ પાઠ (Roles) ભજવતા કોઈક અભિનેતા જેવી એની જીવન-પદ્ધતિ હોય છે ! અને તેથી જ, એક જ વ્યક્તિ આવાં પરસ્પર-ભિન્ન સ્વરૂપે ભાસે ત્યારે, એનું મૂળભૂત વાસ્તવિક સ્વરૂપ શું અને કેવું છે, તે વિશે અન્ય જનો અવિદિત રહે (જ્વ અપિ અવિક્તિ), તે સાવ સ્વાભાવિક છે ! ઓળખે, તેથી તેને શું ? Who cares ? He is આ પ્રાજ્ઞ તો ક્યારેક કોઈક ચક્રવર્તી મહારાજાધિરાજના
પરંતુ લોકો તેને ન completely care-free
૧૦૮૮ | વિવેકચૂડામણિ