________________
કરે છે. (૫૪૨) ટિપ્પણ :
અહીં પણ બ્રહ્મજ્ઞાની મુનિની વિલક્ષણ જીવનશૈલીનું એવું જ નિરૂપણ ચાલુ છે : તે જ્યાં વિહાર કરતો હોય ત્યાં, તે એકલો જ હોય છે (વિ.), તેના કોઈ સાથીદાર કે સહયાત્રી હોતા નથી - એકલાં રહેવામાં-હરવા-ફરવામાં રાચતો આ મુનિ સ્થલ દષ્ટિએ ભલે એકલો હોય, એ સર્વરૂપે સ્થિત હોય છે (સર્વાત્મના feeta:) : He may be 'alone', he never feels 'lonely' !
વીમાની અને મરૂપી, - એ બે વિશેષણોમાં, ભોજન અને સ્વરૂપની બાબતમાં, ભલે એની ઇચ્છા પર ભાર મૂકાયો, ભલે એની ઇચ્છાનું મહત્ત્વ દર્શાવાયું, – એની ઈચ્છાનું આ સેવન પણ નિરાળું છે ! - With a difference ! એની આ “કામના” પણ “નિષ્કામ-પ્રકારની હોય છે ! : Desireless Desires ! હકીકતમાં, એની કોઈ પ્રવૃત્તિ કે પ્રક્રિયા, ક્યારેય કામ-પ્રેરિત (Desire-prompted) હોતી જ નથી. સામાન્ય માણસો તરીકે આપણે, તે જ્યારે કશું કરતો હોય ત્યારે, તેના પર કોઈક ઈચ્છાનું આરોપણ ભલે કરીએ (Super-impose); એ તો એનાં સમગ્ર વ્યવહાર-વર્તનમાં, હંમેશાં, સ્વતઃ–પ્રવર્તિત અને યાદચ્છિક (Spontaneous) જ હોય છે !
પોતાની ઈચ્છાનુસાર તે ભોજન કરતો (ામની) હોય એમ, ભલે આપણને લાગે, ભિક્ષામાં મળેલું અન્ન, તેની ઇચ્છા પ્રમાણેનું જ છે તેમ, તે પોતે તો, માનતો જ હોય છે (યાદ કરો ઃ વિનાશૂન્ય અર્ચ શૈક્ષ પવ તસ્ય Hશનમ્ | - શ્લોક પ૩૯).
અને ઇચ્છાનુસાર, મનમાન્યું રૂપ તે ધારણ કરતો હોય (ામરૂપી), એમ આપણે ભલે માનીએ, – રૂપની બાબતમાં એની પોતાની કોઈ કામના હોતી જ નથી (વાંચોઃ નિમ: નિરર્દ સુલ્લી રમત | શ્લોક-પ૩૮).
જે પોતે, પોતાના આત્મસ્વરૂપમાં જ, સદા સંતુષ્ટ હોય (સ્વયં સ્વાત્મના પવ સદા તુષ્ટ), અને જેનાં આહાર-વિહાર અને વિચરણ-સંચરણ સ્વતંત્ર હોય, એનો જીવનપ્રવાહ તો ખળખળ વહેતી સરિતા જેવો મુક્ત અને અનિયંત્રિત જ હોય, - નહેર કે બંધ (Dam) જેવો “બાંધેલો' નહીં !
શ્લોકનો છંદઃ અનુષુપ (૫૪૨) ૧૦૮૬ | વિવેકચૂડામણિ