________________
સભર કાવ્યસૌન્દર્યનો રસાનંદ પામવા માટે, અહીં, થોડું રોકાવા જેવું છે.
શ્લોકમાં પ્રયોજવામાં આવેલું દૃષ્ટાંત, ખરેખર, ખૂબ સુંદર અને સમુચિત છે ઃ નિર્દોષ બાળકને પોતાનાં રમકડાં વગેરે રમતનાં સાધનો સાથે રમતું તો સહુએ જોયું જ હોય, એટલે આ દૃષ્ટાંત સવિશેષ સચોટ અને ચિત્તાકર્ષક બની રહે છે. રમતની ક્રિયામાં બાળક એવું-એટલું બધું તલ્લીન બની જાય છે કે રમત દરમિયાન તેને ભૂખતરસ અવશ્ય લાગે, અને રમતમાં ક્યાંક પડે-આખડે-ભટકાય, તેથી શરીરને ઇજાથાક વગેરે પણ જરૂર થાય; પરંતુ પોતાની રમતમાં તેને એવો રસ પડે છે કે ભૂખતરસ અને દુઃખ-થાક વગેરે એનાં ધ્યાનમાં, તે વખતે, આવતાં જ નથી ! રમતમાંનો તેનો રસ, રમત સિવાયનું બાકીનું બધું જ, વિસરાવી દે તેવો હોય છે !
જીવન્મુક્ત બ્રહ્મજ્ઞાની જ્યારે નિજાનંદની મસ્તીમાં, આત્મામાં જ રમણ કરી રહ્યો હોય (રમત) ત્યારે, એને જોઈને, આપણને સહુને, ઉપર્યુક્ત પેલું બાળક, અવશ્ય યાદી આવી જાય !
ક્યાં પેલું સંપૂર્ણરીતે અનભિજ્ઞ અને નિરક્ષર બાળક, અને બ્રહ્મસાક્ષાત્કારની પરમોચ્ચ કક્ષાએ પહોંચેલો ક્યાં આ ઉત્તમોત્તમ બ્રહ્મજ્ઞાની ! અને છતાં, ઝોતિ. અને રમતે, - એ બંને ક્રિયાપદોમાંથી વ્યંજિત થતું, - વાત અને વિદ્વાન જેવી, પરસ્પર-વિભિન્ન વ્યક્તિત્વ ધરાવતી બે વ્યક્તિઓ વચ્ચેનું સામ્ય એવું સંપૂર્ણ અને અશેષ-નિઃશેષ છે કે આચાર્યશ્રી જેવા ઉત્કૃષ્ટ દર્શનશાસ્ત્રી સિવાયના અન્ય કોઈ તત્ત્વજ્ઞાનીને તે ભાગ્યે જ સૂઝે !
અને એમાં યે, પ્રથમ પંક્તિમાંના સુધી અને વ્યથા - એ બે શબ્દોની સામે, બીજી પંક્તિમાંના નિર્મમ અને નિરર્દ એ બે શબ્દોને મૂકાયા હોવાથી, એ બંને શબ્દ-જોડકાં વચ્ચેનાં સંતુલન(Balance)માં રહેલું કાવ્યસૌન્દર્ય તો આચાર્યશ્રીનાં કાવ્યકૌશલને સવિશેષ ધ્વનિત કરે છે !
- શ્લોકનો છંદ : અનુષુપ (૩૮)
૫૩૯ चिन्ताशून्यमदैन्यभैक्षमशनं पानं सरिद्-वारिषु
स्वातन्त्र्येण निरंकुशा स्थितिरभीनिद्रा श्मशाने वने । वस्त्रं क्षालनशोषणादिरहितं दिग्-वाऽस्तु शय्या मही
संचारो निगमान्तवीथिषु विदां क्रीडा परे ब्रह्मणि ॥५३९॥
૧૦૭૬ | વિવેકચૂડામણિ