________________
(૩) સપ્રમેય: I બુદ્ધિ વગેરે સંસારનાં, દુન્યવી, ભૌતિક સાધનો વડે માપી ન શકાય તેવો, અમેય; અને (૪) નાનુભૂતિઃ | સર્વ-અનુભવ-સ્વરૂપ, સહુની અનુભૂતિરૂપ. (પ૩૬) અનુવાદ ઃ
આ આત્મા સ્વયંપ્રકાશ, અનંતશક્તિવાળો, અપ્રમેય અને સર્વ-અનુભવ-સ્વરૂપ છે, જેને જ સંપૂર્ણરીતે જાણવાથી, સંસારનાં) બંધનોથી વિમુક્ત થયેલા બ્રહ્મવેત્તાઓમાં સર્વશ્રેષ્ઠ એવા આ બ્રહ્મજ્ઞાનીનો (સર્વત્ર, જીવનમાં) જયજયકાર થાય છે. (પ૩૬) ટિપ્પણ:
શ્લોક સહેલો છે અને સર્વ શબ્દો પણ આ પહેલાં પ્રયોજાયેલાં હોવાથી, શ્લોકનું પ્રતિપાદયિતવ્ય સરળ અને સુબોધ છે. પરંતુ આત્માનાં વિશેષણોનો, શ્લોકમાં, જે ક્રમ (Order) છે, તે, જેટલો સૂચક છે, તેટલો જ સ્મરણીય છે : આ આત્મા ભલે “સ્વયંયોતિ'“અનંતશક્તિ” અને “અપ્રમેય' હોય, તે છતાં તે એવો છે કે તેનો અનુભવ સહુ-કોઈ કરી શકે એવો છે; જેની અનુભૂતિ સહુ કરી શકે એવું એનું સ્વરૂપ છે, એ હકીકત જ આત્માની શેયતાની વિશિષ્ટતાની દ્યોતક છે : આત્માનું જ્ઞાન સર્વ માટે સુલભ છે; શરત છે એકમાત્ર : એને પ્રાપ્ત કરવાની હૃદયસ્પર્શી ઈચ્છા, તમન્ના, લગની.
આત્માનાં સ્વરૂપ વિશેનાં ચારેય વિશેષણો, અધ્યાત્મમાં રસ ધરાવનાર માટે જાણીતાં હોવા છતાં, એના મર્મનો ફરી આસ્વાદ કરવા જેવો છે : એનાં સ્વયંપ્રકાશ સ્વરૂપની ચર્ચા તો, આ પહેલાંના થોડા શ્લોકોમાં, થઈ ગઈ છે, પરંતુ તેની શક્તિ અનંત છે, તેથી જ આ વિશ્વને તે ઉત્પન્ન કરી શકે છે, એનું પોષણ કરી શકે છે અને ઇચ્છા તથા આવશ્યકતા ઊભી થાય ત્યારે, તેનો સંહાર પણ તે કરી શકે છે : તેનું આ “અનંતશક્તિત્વ' જ તેને “સર્વસમર્થ (Omnipotent, All powerful) બનાવે છે.
વળી, વ્યાખ્યા કોની થઈ શકે? - તેની જ, જેના ગુણધર્મો કોઈક સર્વમાન્ય “માપ' વડે જ ગ્રાહ્ય-વેદ્ય-મેય હોય; પરંતુ આ આત્માને તો કોઈ ગુણધર્મો જ નથી, તેથી ગ્રાહ્યતા-મેયતા માટેની ગમે તેવી માન્ય એવી પેલી મિટરપટ્ટી બિચારી (!) શું કરે ? અને આશ્ચર્ય તો એ વાતનું છે કે આત્મા આવો “અપ્રમેય’ હોવા છતાં, તે “સકલાનુભૂતિ' છે ! અને “સકલાનુભૂતિ હોવા છતાં તે “અપ્રમેય' છે ! પરંતુ આવા આત્માનું જ્ઞાન હસ્તગત થઈ જાય, પછી તો એવા આત્મજ્ઞાનીનો જીવનમાં બેડો પાર' જ થઈ જાય ! સંસારનાં સર્વ બંધનોમાંથી તો તે વિમુક્ત થઈ જ જાય,
વિવેકચૂડામણિ | ૧૦૭૧