________________
(ર) અને (તસ્ય) નિયમ-આદિ-અપેક્ષા છે. ચાત્ ? | વેન એટલે પોતાને જાણવું તે, આત્મજ્ઞાન; આવા મહાત્માની અપેક્ષા વિશેની પરિસ્થિતિ ઉપરકહી-તેવી હોય, તો પછી, આત્મજ્ઞાન માટે તો તેને કોઈ નિયમો વિશે અપેક્ષા હોય જ શાની ? (૩૦) અનુવાદ :
જેની ચિત્તવૃત્તિ આત્મસ્વરૂપમાં નિરંતર સંલગ્ન થઈ ગઈ છે અને જેને આત્મજ્ઞાનની સિદ્ધિ પણ થઈ ચૂકી છે, તેવા મહાત્માને દેશ, કાળ, આસન, દિશા, યમ-નિયમ આદિ કોઈ લક્ષ્ય વગેરેની અપેક્ષા હોતી જ નથી; તો પછી, પોતાને જાણવાની બાબતમાં, કોઈ નિયમો વગેરે વિશે તો તેને કઈ અપેક્ષા હોઈ શકે ? (પ૩૦) ટિપ્પણ:
શ્લોકમાંનાં બે વિશેષણો (પ્રતિવદ્ધવૃત્તિ અને સંસિદ્ધતત્ત્વ), જે મુમુક્ષુ સાધક, “જીવન્મુક્તિ”ની સર્વોચ્ચ કક્ષાએ પહોંચી ગયો છે, તેના માટે છે, અને તેથી, હવે પછીની તેની શેષ જિંદગીમાં, તેના માટે કોઈ અપેક્ષા કે આવશ્યક્તા હોય કે નહીં, તેની ચર્ચા આ શ્લોકમાં કરવામાં આવી છે.
સાધકની સાધનાની શરૂઆતના તબક્કામાં, તેની સાધનાની સફળતાના ઉપલક્ષમાં, તેણે કેટલાક નિયમો અવશ્ય પાળવાના હોય છે, – સ્થળ-સમય-આસનદિશા વગેરે અંગે; પરંતુ અંતે તો, આવા સર્વ નિયમો પણ, સાધ્યને સંપન્ન કરવા માટેનાં માત્ર સાધનો જ હોય છે અને સાધનોનું મહત્ત્વ આટલાં પૂરતું જ હોય છે, એથી વિશેષ જરા પણ નહીં; અંગ્રેજીમાં કહેવું હોય તો, એમ કહી શકાય કે "They are only means to an end". 24143 g udll 21L4-4LHİ 24$0 થવું હોય તો, સાધનને સાર્થ સમજી લેવાની ("To consider the means as the very end") ભૂલ કદી પણ ન કરવી.
અને આવાં બધાં સાધનોનો મહિમા, એની સમયમર્યાદા પણ, સિદ્ધિની પ્રાપ્તિ સુધીનાં જ હોય છે : સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તો આવાં કોઈ સાધનો માટે કશો જ અવકાશ રહે જ નહીં : દર્દીને દવા આપવાની આવશ્યકતા ક્યાં સુધી રહે ? - માંદગી ચાલુ હોય ત્યાં સુધી જ. તે પૂરેપૂરો સાજો થઈ જાય, ત્યારપછી તેને કોઈ જ દવા આપવાની ન રહે.
સાધકનાં મનમાં રહેલી, આવી બધી આવશ્યકતાઓ અને અપેક્ષાઓ અંગેની મૂંઝવણોના નિવારણ માટે, આચાર્યશ્રી, અહીં, સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. પરમેશ્વર સર્વવ્યાપી અને સર્વત્ર છે, એટલે સાધના માટે કોઈ નિશ્ચિત
વિવેકચૂડામણિ | ૧૦૫૯