________________
શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) વ્યોનિ પુ ત્વ (તત્સમાન ઋાર્ય તિ); વ્યોનિ એટલે આકાશમાં; પુદ એટલે નગર, શહેર; પ્રજ્જન એટલે કલ્પના કરવી તે : આકાશમાં નગરની કલ્પના કરવા જેવું (આ કાય) છે; કયું કાર્ય ? - ડાઉugવોધાત્મનિ નિર્વિજો (મન) વિન્ધનમ્ | વિછત્પન એટલે કોઈ પણ જાતના વિકલ્પની, એટલે કે ભેદની કલ્પના કરવી તે; આવી કલ્પના કોના વિશે ? અખંડજ્ઞાનસ્વરૂપ અને વિકલ્પીન આત્મામાં, આત્મા વિશે.
(૨) તત્ એટલે તમાત્ તેથી, માટે, તે કારણે; મૌન મનસ્વ | મૌન ધારણ કર; મૌનને પ્રાપ્ત થઈ જા. પણ આ પહેલાં શિષ્ય શું કરવાનું રહે છે ? – પરાં શાન્તિ પત્ય | પરમ શાંતિ પ્રાપ્ત કરીને, પામીને, એનો અનુભવ કરીને; આવી શાંતિ તેણે કેવી રીતે પ્રાપ્ત કરવાની છે? સવા - નિરન્તર; અને બદય-મનન્દમયેમાત્મના | અદ્વિતીય આનંદમય આત્મારૂપે; અદ્વિતીય આનંદ-સ્વરૂપ બનીને. (પર૬) અનુવાદ :
* અખંડ જ્ઞાનસ્વરૂપ અને નિર્વિકલ્પ એવા આત્મામાં, કોઈ પણ જાતના ભેદની કલ્પના કરવી તે, આકાશમાં નગરની કલ્પના કરવા જેવું કાર્ય છે; તેથી, અદ્વિતીય આનંદમય આત્મારૂપે પરમ શાંતિ પામીને તું સદા મૌન ધારણ કર. (પર૬) ટિપ્પણ:
આ શ્લોકમાં પણ, ગયા શ્લોકની જેમ, સદ્ગુરુએ શિષ્યને સીધો જ આદેશ આપ્યો છે કે “તું મૌન ધારણ કર” : મૌન મનસ્વ |
પરંતુ ગુરુદેવને સ્પષ્ટ ખ્યાલ છે કે કશું પણ સમજ્યા વિના, આમ, સીધે-સીધું મૌન ધારણ કરવું, એ નિરર્થક છે; એટલે સૌપ્રથમ તો, તેમણે, શિષ્યને, આત્માનાં સમ્યફ સ્વરૂપ વિશેની કશી ગેરસમજથી દૂર રહેવાની સૂચના આપી.
આત્મા એટલે જ અખંડ જ્ઞાનનું સ્વરૂપ; અને આવો આત્મા તો, સંકલ્પોવિકલ્પોથી સદા-સર્વદા વિમુક્ત જ હોય; આવા “નિર્વિકલ્પ' આત્મામાં જીવ કે કશા સંસારવ્યવહારના પદાર્થોનો ‘વિકલ્પ' કરવો, કોઈ પણ જાતની ભેદયુક્ત કલ્પના કરવી, ટૂંકમાં, “નિર્વિકલ્પ'માં “વિકલ્પ' હોય એમ માનવું-જાણવું-સમજવું, એ તો એક અક્ષમ્ય અને અનિર્વાહ્ય એવો કલ્પના-તરંગ જ કહેવાય !
જ્યાં કશું હોવાની શક્યતા જ ન હોય, ત્યાં તે વસ્તુ હોવાનો સ્વીકાર કરવો, એટલે આકાશમાં નગર હોવા જેવી અસંભવિત કલ્પના ! સામાન્ય બુદ્ધિ(Common
વિવેચૂડામણિ | ૧૦૫૧