SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1055
Loading...
Download File
Download File
Page Text
________________ અનવધાનને જરા પણ અવકાશ રહેવો જોઈએ નહીં : ‘સ્વયં-દર્શન’ સતત ચાલુ રહેવું જોઈએ. અને અદ્વિતીય એવાં બ્રહ્મ સાથેનાં ઐક્યની સિદ્ધિ પછી, એની આ ‘અટ્ઠયમાન્યતા' પણ એવી જ અકબંધ જળવાઈ રહેવી જોઈએ. સંસારમાં તો સર્વત્ર ભેદનાં અને દ્વૈતનાં જ દર્શન તેને થયાં કરશે : છતાં ‘હું તો સદા-સર્વદા અદ્વિતીય જ છું', - એ પ્રકારની માન્યતામાં લેશમાત્ર પણ કચાશ પ્રવેશી ન જાય, તેનું, તેને, સતત ધ્યાન રાખવાનું છે. વળી, ‘આનંદ’ જેનો એક અવિભાજ્ય અંશ (Integral part) છે, એવાં “સચ્ચિદાનંદ”-સ્વરૂપમાં હવે તો તે સ્થિત છે, એટલે આત્માનંદ કે નિજાનંદની એની અનુભૂતિમાં લેશમાત્ર પણ ઉણપ ન આવી જવી જોઈએ. આ ત્રણેય પ્રક્રિયામાં, ‘સ્વયં” અને સ્વં એવા શબ્દો પ્રયોજવા પાછળ સદ્ગુરુનો એકમાત્ર શુભ ઉદ્દેશ એ જ છે કે શિષ્ય હંમેશાં ‘સ્વ’માં જ રમમાણ રહે ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૨૫) ૫૨૬ अखण्डबोधात्मनि निर्विकल्पे विकल्पनं व्योम्नि पुरःप्रकल्पनम् । तदद्वयानन्दमयात्मना सदा शान्ति परामेत्य भजस्व मौनम् ॥५२६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અખંડબોધાત્મનિ નિર્વિકલ્પે વિકલ્પનં વ્યોમ્નિ પુરઃપ્રકલ્પનમ્ । તદયાનન્દમયાત્મના સદા શાન્તિ પરામેત્ય ભજસ્વ મૌનમ્ ।૫૨૬॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ अखण्डबोधात्मनि निर्विकल्पे (आत्मनि) विकल्पनं, व्योम्नि पुरःप्रकल्पनं (तत्समानं कार्यं अस्ति); तत् अद्वयानन्दमया - आत्मना सदा परां शान्ति મૌનું મનસ્વ રદ્દા પત્ય, ૧૦૫૦ / વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy