________________
અનવધાનને જરા પણ અવકાશ રહેવો જોઈએ નહીં : ‘સ્વયં-દર્શન’ સતત ચાલુ રહેવું જોઈએ.
અને અદ્વિતીય એવાં બ્રહ્મ સાથેનાં ઐક્યની સિદ્ધિ પછી, એની આ ‘અટ્ઠયમાન્યતા' પણ એવી જ અકબંધ જળવાઈ રહેવી જોઈએ. સંસારમાં તો સર્વત્ર ભેદનાં અને દ્વૈતનાં જ દર્શન તેને થયાં કરશે : છતાં ‘હું તો સદા-સર્વદા અદ્વિતીય જ છું', - એ પ્રકારની માન્યતામાં લેશમાત્ર પણ કચાશ પ્રવેશી ન જાય, તેનું, તેને, સતત ધ્યાન રાખવાનું છે.
વળી, ‘આનંદ’ જેનો એક અવિભાજ્ય અંશ (Integral part) છે, એવાં “સચ્ચિદાનંદ”-સ્વરૂપમાં હવે તો તે સ્થિત છે, એટલે આત્માનંદ કે નિજાનંદની એની અનુભૂતિમાં લેશમાત્ર પણ ઉણપ ન આવી જવી જોઈએ. આ ત્રણેય પ્રક્રિયામાં, ‘સ્વયં” અને સ્વં એવા શબ્દો પ્રયોજવા પાછળ સદ્ગુરુનો એકમાત્ર શુભ ઉદ્દેશ એ જ છે કે શિષ્ય હંમેશાં ‘સ્વ’માં જ રમમાણ
રહે !
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૨૫)
૫૨૬
अखण्डबोधात्मनि निर्विकल्पे
विकल्पनं व्योम्नि पुरःप्रकल्पनम् ।
तदद्वयानन्दमयात्मना सदा
शान्ति परामेत्य भजस्व मौनम् ॥५२६ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
અખંડબોધાત્મનિ નિર્વિકલ્પે
વિકલ્પનં વ્યોમ્નિ પુરઃપ્રકલ્પનમ્ ।
તદયાનન્દમયાત્મના સદા
શાન્તિ પરામેત્ય ભજસ્વ મૌનમ્ ।૫૨૬॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
अखण्डबोधात्मनि निर्विकल्पे (आत्मनि) विकल्पनं, व्योम्नि पुरःप्रकल्पनं (तत्समानं कार्यं अस्ति); तत् अद्वयानन्दमया - आत्मना सदा परां शान्ति મૌનું મનસ્વ રદ્દા
પત્ય,
૧૦૫૦ / વિવેકચૂડામણિ