________________
સર્વમાન, સર્વપ્રોરેખ ); સર્વ પ્રકારે, તારા પોતાના આત્માને, સદા સ્વયંરૂપ આત્માને જોતાં, જોતાં;
(૨) સ્વયં મદયે મમાનઃ . પોતાને, પોતાની જાતને, અદ્વિતીય, માનતો;
(૩) સ્વ-ગાનન્દ નમુનઃ | આત્માનન્દનો જ સતત-વારંવાર અનુભવ કરતો, કરતો; આત્માનંદને જ ભોગવતાં, ભોગવતાં.
પશ્યન, મીમાન અને અનુમુક્ષીના, - એ ત્રણેય, વ્યાકરણની દૃષ્ટિએ, અનુક્રમે, શુ(પશ્યો જોવું, મન માનવું અને અનુ+મુન્ ભોગવવું, – એ ધાતુઓનાં વર્તમાનકૃદંત, પુલિંગ પ્રથમ એકવચનનાં રૂપો છે. (પરપ) અનુવાદ :
મહાબુદ્ધિમાનું ! સર્વરીતે, સ્વયંરૂપ આત્માને જોતો રહીને, પોતાને અદ્વિતીય માનતો રહીને અને આત્માનંદને ભોગવતો રહીને, તું (તારા) સમય વ્યતીત કરજે. (પર૫) ટિપ્પણ :
સદ્ગુરુ, આ શ્લોકમાં, શિષ્ય માટે, “મહામતિ” – એવું સંબોધન પ્રયોજે છે, એ સૂચક (Significant) છે, – બે રીતે : એક તો એ કે તેની બુદ્ધિ માત્ર “મહા” (મોટી, ઘણી) જ નથી, પરંતુ તે સારી, શુભ અને સાત્ત્વિક પણ (સબુદ્ધિ) છે, અને આવી “મહા” તથા “સારી બુદ્ધિના પ્રભાવે અને પ્રતાપે જ, તે, સચ્ચિદાનંદ એવાં પરમતત્ત્વ સાથે સાયુજય પામી શક્યો છે; અને બીજું એ કે ગુરુદેવને, શિષ્યની, જીવન્મુક્તિ-પદ-પ્રાપ્તિ પછીની, હવે પછીની, ભાવિ જીવન-કારકિર્દી વિશે કશી જ અશ્રદ્ધા કે આશંકા નથી : પોતાનાં પ્રવર્તમાન પરમોચ્ચ પદને, એની પ્રતિષ્ઠાને, કશી પણ હાનિ પહોંચે એવું તે કદી પણ કરશે નહીં, એવી પ્રતીતિ ગુરુદેવને હૈયે છે, તે, પણ શિષ્યની આવી બુદ્ધિનાં કારણે જ છે, તે હકીકત સ્પષ્ટ થાય છે.
ગુરુદેવે, શિષ્ય માટે, શ્લોકમાં, સૂચવેલી ત્રણ પ્રક્રિયાઓ પણ એટલી જ મહત્ત્વની છે : શિષ્ય ભલે પોતાનાં જીવન-ધ્યેયને સંપન્ન કરી લીધું, પરંતુ તેને પોતાનાં બાકીનાં આયુષ્યને તો, આ સંસારમાં રહીને જ વીતાવવાનું છે અને તે કેવી રીતે વીતાવવાનું છે, તેનો આદેશ ગુરુદેવ શિષ્યને, - વાર્તા નય | એમ કહીને, આપે છે.
હવે પછીના સમયમાં, શિષ્ય, “બહિર્મુખ' (Extrovert) રહે કે “અંતર્મુખ (Introvert), તેણે સતત લક્ષમાં રાખવાનું છે કે એનું દર્શન” (પશ્ય) તો સદા પોતાના આત્માનું જ (સ્વયે વ) હોવું જોઈએ : આવી પ્રક્રિયામાં આળસ કે
. વિવેકચૂડામણિ | ૧૦૪૯