________________
નથી, દુઃખ પણ ટળતું નથી.
તો પછી, શું કરવું? - હવે પછીનાં વાક્યમાં, ગુરુદેવે આપેલા આદેશનું અનુપાલન કરવું.
(૨) તત્ એટલે તત્ તેથી, તે કારણે. તૃત: (1) સુર્વ તિષ્ઠા ગુમ એટલે સુખપૂર્વક, સુખથી. તિષ્ણ એટલે રહે. સુખપૂર્વક રહે, સુખી થા, સુખી બન. કેવી રીતે ? - તૃત: (સન) - તૃપ્ત થઈને, સંતોષ પામીને. પરંતુ આવી તૃપ્તિ મળે શી રીતે ? આ બે રીતે : (અ) અદય-મનન્તર-અનુમૂત્યા અદ્વિતીય એવા તે બ્રહ્મના આનંદરસની અનુભૂતિ વડે; અને (બ) –આત્મનિષ્ઠયા | સત્યસ્વરૂપ એવી આત્મનિષ્ઠા વડે. (પર૪) અનુવાદ :
(હે વત્સ ! હે શિષ્ય !) મિથ્યા પદાર્થોનો અનુભવ કરવાથી, કશી પણ તૃપ્તિ થતી નથી, તેમ જ દુઃખનો નાશ પણ થતો નથી, તેથી અદ્વિતીય (બ્રહ્મ)ના આનંદરસની અનુભૂતિથી અને સત્યસ્વરૂપ આત્મનિષ્ઠાથી તૃપ્ત થઈને તું સુખપૂર્વક રહે ! (પર૪) ટિપ્પણ:
- જીવન્મુક્ત થયા પછી પણ, આપણે આ પહેલાં જોયું તેમ, શિષ્યને પોતાનાં આયુષ્યનો શેષ સમય વિતાવવાનો તો છે, આ “મિથ્યા' જગતમાં જ. અને જેવું મિથ્યા' જગત, એવા જ મિથ્યા' આ જગતના સર્વ પદાર્થો !
એટલે, આવા અસત્પદાર્થોના અનુભવોમાં, અને એ સર્વના ઉપભોગમાં, શિષ્ય, ફરી પાછો, ન સરી પડે, તે માટે, આચાર્યશ્રી, તેને એવી ચેતવણી આપે છે કે આવા અનુભવો-ઉપભોગથી સદા-સર્વદા તું દૂર જ રહેજે. આવી ચેતવણી પાછળનાં બે કારણો આ પ્રમાણે છે : એક તો એ કે એમાંથી કશી જ તૃપ્તિ સાંપડતી નથી, અને બીજું એ કે પેલા મિથ્યા-પદાર્થોના અનુભવનું દુઃખ તો ટળતું જ નથી ! તેથી, શિષ્ય માટે, સુખપૂર્વક તૃપ્ત થઈને રહેવાનો તો એક જ ઉપાય : અદ્વિતીય બ્રહ્મના આનંદરસની અનુભૂતિ ! અને આને જ બીજા શબ્દોમાં વ્યક્ત કરીએ તો, સત્યસ્વરૂપ એ જ બ્રહ્મમાં આત્મનિષ્ઠા !
આમ તો, પરમતત્ત્વની પ્રાપ્તિ પછીનાં, આ શિષ્યનાં સવિસ્તર આત્મસંભાષણમાંની, એનાં ઉચ્ચારણોમાંની એની સુદઢ પ્રતીતિ જોતાં અને એના એ સર્વ ઉગારોમાંનાં સત્યનો રણકો જોતાં, આ શિષ્ય, હવે, મિથ્યા જગતના નશ્વર પદાર્થોના ઉપભોગોમાં ફરીથી ફસાય, એવી કોઈ જ ભીતિ જણાતી નથી. તો પછી, ગુરુદેવ એને શા માટે આવી ચેતવણી આપે છે અને જે અદ્વિતીય બ્રહ્મના આનંદરસની
વિવેકચૂડામણિ | ૧૦૪૭