________________
મારું રક્ષણ કેવી રીતે કર્યું છે ? - અત્યન્તકૃપયા / મારા પર અત્યન્ત કૃપા કરીને; અને પ્રસ્વાપાત્ પ્રવોથ્ય | સ્વીપ એટલે મહા-મોટી-દીર્ઘ નિદ્રા; તેમાંથી માં પ્રવષ્ય | - તેમાંથી જગાડીને. આ નિદ્રા એટલે અજ્ઞાનની નિદ્રા.
જેનું આપે આ રીતે રક્ષણ કર્યું છે તે હું, આ પહેલાં કેવો હતો ? - ત્રણ વિશેષણો આ પ્રમાણે :
(૧) મહીસ્વને પ્રમામ્ | મોટાં સ્વપ્નમાં ભટકતો; આ સ્વપ્ન કેવું હતું? - માયાત-નિ-ના-મૃત્યુને ! દિન એટલે અત્યંત ભયાનક, વિકટ, બિહામણું; આ સ્વપ્ન આવું ભયાનક શાને કારણે હતું? – નિ - જન્મ; નરી – વૃદ્ધાવસ્થા; માયાએ રચેલાં જન્મ-જરા-મૃત્યુને કારણે.
- (૨) વિક્નશ્યન્તમ્ | વિત્નમ્ ધાતુનું કર્મણિ વર્તમાનકૃદંતનું રૂપ; ફલેશ પામતો, ફલેશ પામી રહેલો; અનુતનમ્ - રોજ, હંમેશ; રોજેરોજ. આ ફલેશ શાનો હતો ? - વહનતરતાપૈ: | વિવિધ પ્રકારનાં, અનેક જાતનાં દુઃખો, સંતાપોનો;
(૩) ગાં-વ્યાધ્ર-વ્યથિતમ્ ! અહંકારરૂપી વાઘ વડે ત્રાસ પામતો, વ્યથા પામી રહેલો.
આવા મને આપે, હે ગુરો ! રક્ષણ આપ્યું છે. (૧૯) અનુવાદ :
' હે ગુરુદેવ! માયા વડે રચવામાં આવેલાં જન્મ-જરા-મૃત્યુ રૂપી અત્યંત ભયંકર મહાસ્વપ્નમાં હું ભટકી રહ્યો હતો, અનેક પ્રકારનાં દુઃખોથી રોજેરોજ ફલેશ પામી રહ્યો હતો અને અહંકારરૂપી વાઘ વડે ત્રાસ પામી રહ્યો હતો : આવા મને, આપે, અત્યંત કૃપા કરીને, અજ્ઞાનરૂપી મહાનિદ્રામાંથી જગાડીને, સારી રીતે, રક્ષણ આપ્યું છે. (૫૧૯). ટિપ્પણ:
પોતાનાં સુદીર્ઘ સંભાષણને અંતે, સ્વસ્થ થતાંની સાથે જ, શિષ્ય, સદ્ગુરુની કૃપા તથા એ કૃપાનાં સુપરિણામ-સ્વરૂપ પોતાની વિભૂતિ-પ્રાપ્તિ માટે અત્યંતવિનમ્રતાપૂર્વક, તેમને પુનરપિ પુનઃ નમસ્કાર કર્યા, અને આ પહેલાં પોતે કેવી વિકટ અને ભયાનક અજ્ઞાનદશામાં ભટકી રહ્યો હતો, કલેશ અને વ્યથા પામી રહ્યો હતો અને આવી મહામોહનિદ્રામાંથી ગુરુદેવે તેને જગાડ્યો અને જરૂરી રક્ષણ આપ્યું હતું, - જેના પરિણામે, તે પોતાની પ્રવર્તમાન બ્રાહ્મી-અવસ્થાએ પહોંચી શક્યો હતો, - તેનું એક સંક્ષિપ્ત છતાં સચોટ શબ્દચિત્ર સદ્ગુરુ સમક્ષ, આ શ્લોકમાં, શિષ્ય, રજૂ કર્યું છે.
વિવેકચૂડામણિ | ૧૦૩૫