________________
આત્મારૂપ, બુદ્ધિ વડે ન સમજી શકાય તેવું, સત્ય-જ્ઞાનરૂપ, અનંતસ્વરૂપ, અને આનંદરૂપ એવું જે અદ્વિતીય બ્રહ્મ છે, તે જ હું છું. (૫૧૫) ટિપ્પણ:
વિશ્વમાં જે કાંઈ વૈચિત્ર્ય-વૈવિધ્ય-બાહુલ્ય છે, તે સઘળું માયાનું જ સર્જન છે; એટલું જ નહીં પણ એનાં નિત-નવાં રૂપો પણ અપાર છે, અસંખ્ય છે; એની વિશેષતા અને નવીનતા પણ એટલી જ અદ્ભુત ! અને વિશેષતા એટલે જ વિભિન્નતા !
પરંતુ બ્રહ્મ તો એકત્વનું જ સ્વરૂપ ! એટલે તે તો માયાની આવી બધી વિશેષતાઓને અતિક્રમીને (Transcends), તેની પેલી પાર સદા રહેનારું એક અને અદ્વિતીય તત્ત્વ છે !
એટલે જ દક્ષિણામૂર્તિસ્તોત્રમાં આ જગતને આવી રીતે વર્ણવવામાં આવ્યું છે :
मायाकल्पितदेशकालकलनावैचित्र्यचित्रीकृतम् । આ બ્રહ્મ એ જ મનુષ્યના વ્યક્તિગત સ્વાત્મ-રૂપ, પ્રત્યગાત્મારૂપ, - પ્રત્યેક મનુષ્યનો પોતાનો આત્મા એટલે જ આ બ્રહ્મ ! એનાથી આ બ્રહ્મ જરા પણ જૂ . નથી, - પ્રત્યરૂપ !
સામાન્ય રીતે, કોઈ પણ વાત કે વિષયને સમજવાની જરૂર પડે ત્યારે મનુષ્યને તેની બુદ્ધિ (પ્રત્યય) સહાયભૂત બને; પરંતુ આ તો બ્રહ્મ ! બુદ્ધિનું ગજું નહીં, - એને સમજવાનું કે સમજાવવાનું ! જેને Cognitionકે Communication કહેવામાં આવે છે, તેની સર્વ શક્તિઓથી આ બ્રહ્મ તો સદા પર જ રહે છે ! સ્વયં-પ્રતીતિ એ એક જ માર્ગ અને માધ્યમ, - આ બ્રહ્મને પામવાનું, પહોંચવાનું !
આદિ અને અંત વિનાનું હોવાથી, તે “અનંત' તો છે જ, પરંતુ એનું મૂળભૂત સ્વરૂપ જ સચ્ચિદાનંદનું, એટલે સત્ય, જ્ઞાન અને આનંદ તો એનાં જ પર્યાયો ! અથવા તો, સતુ-ચિ-આનંદ પોતે જ બ્રહ્મનો પર્યાય ! શિષ્ય કહે છે કે “આવું જે બ્રહ્મ, તે જ હું છું !”
શ્લોકનો છંદ : શાલિની (૫૧૫)
૫૧૬
निष्क्रियोऽस्म्यविकारोऽस्मि निष्कलोऽस्मि निराकृतिः । निर्विकल्पोऽस्मि नित्योऽस्मि निरालम्बोऽस्मि निर्द्वयः ॥५१६॥
૧૦૨૮ | વિવેચૂડામણિ