SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1034
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકનો ગુજરાતી પાઠ : નિષ્કિયોડમ્યવિકારોડક્ષ્મિ નિષ્કલોડસ્મિ નિરાકૃતિઃ | નિર્વિકલ્પોડસ્મિ નિત્યોતસ્મિ નિરાલમ્બોસ્મિ નિર્ધયઃ ||૫૧૬ll. શ્લોકનો ગદ્ય અવય : (મઉં) નિક્રિયઃ ;િ () વિજાર ;િ (મ) નિત્તર મ; (ક) નિતિઃ (મિ); () નિર્વિત્વ: ;િ (૪) નિત્ય: મ; (૬) નિરીનq: સ્મિ; (બ) નિર્ણયઃ (અશ્મિ) IIધદ્દા શબ્દાર્થ : જે બ્રહ્મ હું પોતે જ છું!” – એમ શિષ્ય કહે છે, તેનાં આટલાં વિશેષણો તે અહીં પ્રયોજે છે : નિક્રિયા, મવિશ્વાસ, નિતા, નિયતિ , નિવિજ્યા, નિત્ય , નિરાતવૂડ, નિર્દયઃ. આ આઠમાંથી એક પણ વિશેષણ, આ ગ્રંથના સ્વાધ્યાયી માટે, નવું કે અપરિચિત નથી. આ પહેલાં, આ બધા જ શબ્દો, એકથી વધુ વખત, પ્રયોજાઈ ચૂક્યા છે, એટલે આમાંથી કોઈ જ શબ્દની સમજૂતી આપવાની આવશ્યકતા રહેતી નથી. (૫૧૬). અનુવાદ : હું ક્રિયારહિત, વિકાર-વિનાનો, નિરવયવ, નિરાકાર, નિર્વિકલ્પ, નિત્ય, આધાર-વિનાનો અને અદ્વિતીય છું. (૫૧૬). ટિપ્પણ: શ્લોકમાંના શબ્દોને સમજાવવાની જરૂર નથી, એ વાત સાચી; પરંતુ એક માનસશાસ્ત્રીય વિશિષ્ટતાની નોંધ તો અનિવાર્ય જ બની રહે છે. શ્લોક-૪૮રથી શરૂ થયેલું શિષ્યનું નિવેદન અને આત્મસંભાષણ હવે જ્યારે તેની સમાપ્તિ તરફ ઝડપથી ગતિ કરી રહ્યું છે ત્યારે, ભાવ અને ભાવના, વિચાર અને વ્યંજના, અને ખાસ તો, સ્વાનુભૂતિ અને સંવેદનાની દૃષ્ટિએ, શિષ્યની નિરૂપણપદ્ધતિમાં, ધીમે-ધીમે છતાં નિશ્ચિતરૂપે અને રીતે, આવી રહેલું પરિવર્તન નોંધપાત્ર છે : એની વાણી હવે અંતઃકરણનાં છેક અંતસ્તલમાંથી ઉદ્દભવી અને ઊભરાઈ રહી હોય એવું એનું સ્વરૂપ છે : આવા સમયે વક્તા એટલો બધો ભાવવિભોર અને લાગણી-સભર બની જતો હોય છે, તદ્દન સ્વાભાવિક રીતે, - કે વાણી કે વક્તવ્ય પર એનો કશો કાબુ રહેતો નથી ! ઊર્મિના આવેશમાં, શબ્દોની પુનરુક્તિ - વિવેકચૂડામણિ / ૧૦૨૯
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy