________________
જગતના, દેહ-મન-બુદ્ધિ જેવા અનાત્મ-પદાર્થોની અશુદ્ધિથી જે સદા સર્વદા પર છે, તે બ્રહ્મ એટલે તો શુદ્ધતાનું મૂર્તિમંત સ્વરૂપ ! – (Completely un-contami nated). (૮) નિશતમ્ | સમસ્ત વિશ્વનું “ચાલવાનું” (Movement) જ આ બ્રહ્મમાં સતત થતું રહે છે, તેથી તેને પોતાને તો કોઈકશી “ચાલ” (Motion) હોઈ જ ન શકે! તે પોતે “નિશ્ચલ અને અવિચળ છે, તેથી જ સમગ્ર બ્રહ્માંડનું ચાલવાનું શક્ય બને છે ! (૯) નિર્વિઋત્પમ | - એ જ રીતે, જગત અને એમાંના સર્વ અનાત્મ-પદાર્થોમાં વિકલ્પો-વિકારો-વિચારો-પરિવર્તનો એ જ કારણે સંભવિત બને છે કે સર્વનાં અધિષ્ઠાન સમું આ બ્રહ્મ વિકલ્પ-વિહીન છે, નિર્વિકલ્પ છે ! જે સદા “સત” છે, તેને વળી કલ્પના” સાથે શી લેવા-દેવા ? આવો વિચાર જ હાસ્યાસ્પદ (Ridiculous) છે ! (૫૧૪) અનુવાદ :
જે સર્વનો આધાર છે, સર્વ વસ્તુઓને પ્રકાશનાર છે, સર્વની આકૃતિરૂપ જે છે, જે સર્વગામી હોવા છતાં જે સર્વથી રહિત છે, જે નિત્ય, શુદ્ધ, નિશ્ચલ અને નિર્વિકલ્પ તથા અદ્વિતીય છે, તે જ બ્રહ્મ હું છું. (પ૧૪) ટિપ્પણ: આ શ્લોકમાંના સર્વ શબ્દોને શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર સમજાવવામાં આવ્યા હોવાથી, હવે, અહીં, ઉમેરવાનું રહેતું જ નથી.
શ્લોકનો છંદ : શાલિની (૫૧૪) -
૫૧૫ यत् प्रत्यस्ताशेषमायाविशेषं
प्रत्यग्-रूपं प्रत्ययागम्यमानम् । सत्यज्ञानानन्तमानन्दरूपं
ब्रह्माद्वैतं यत् तदेवाहमस्मि ॥५१५॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
થતુ પ્રત્યસ્તાશેષમાયાવિશેષ
પ્રત્યગુરૂપ પ્રત્યયાગમ્યમાનમ્ | સત્યજ્ઞાનાનત્તમાનન્દરૂપ બ્રહ્માદ્વૈત યત તદેવાહમશ્મિ ૫૧૫
૧૦૨૬ | વિવેકચૂડામણિ