SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૭, શ્રીસદાચારસ્તંત્ર. આ દશ્ય પ્રપંચ જાગ્રસ્વખરૂપ જ્ઞાનના ને સુષુપ્તિરૂપ અજ્ઞાનના કાર્યરૂપ છે. તે આત્માના સાક્ષાત્કારવડે ને દશ્યના મિથ્થાપણના નિશ્વયરૂપ તેના અજ્ઞાનવડે નિવૃત્ત થાય છે. આત્માના સાક્ષાત્કારવાની વૃત્તિરૂપ જ્ઞાનનો ને દશ્યના મિયાપણાનો નિશ્ચય કરનારી વૃત્તિરૂપ અજ્ઞાનનો પરિત્યાગ કરવાથી નિરુપાધિક જ્ઞાન જ બાકી રહે છે. ૫. હવે યોગીઓના શચને વર્ણવે છે – अत्यन्तमलिनो देहो देही चात्यन्तनिर्मलः । असंगोऽहमिति ज्ञात्वा शौचमेतत्प्रचक्षते ॥ ६ ॥ લશરીર બહુજ અપવિત્ર છે, ને આત્મા બહુજ પવિત્ર છે, તથા હું અસંગ છું, એમ જાણીને રહેવું અને ગીએ શાચ કહે છે. - પ્રતીત થતું સ્થલશરીર મલ, મૂત્ર ને રધિરાદિ અપવિત્ર પદાર્થોના સમૂહરૂપ હોવાથી અત્યંત મલિન છે, અને આત્મા સચ્ચિદાનંદાદિસ્વભાવવાળો હોવાથી પરમ પવિત્ર છે. અસંગસ્વભાવવાળા પરમ પવિત્ર આત્મા હું છું એમ જાણી દેહાદિમાંથી હુંપણાની બુદ્ધિ મૂકી દેવી આ - વાસ્તવિક શાચ–મલમૂત્ર ત્યાગની ક્રિયા-છે એમ યોગીઓ કહે છે.. . હવે યોગીઓના સ્નાનનું સ્વરૂપ કહે છે मन्मनो मीनवन्नित्यं क्रीडत्यानन्दवारिधौ । सुस्मातस्तेन पूतात्मा सम्यग्विज्ञानवारिणा ॥ ७ ॥ ..મારું મન માછલાની પેઠે નિત્ય સુખસાગરમાં કીડા કરે છે. તે યથાર્થ વિજ્ઞાનરૂપ જલવડે હું સારી રીતે નાન કરે છું, તેથી પવિત્ર સ્વરૂપવાળો છું. મારું અંતઃકરણ સમુદ્રમાં રમત કરનારા માછલાની પેઠે સર્વદા આનંદસાગરમાં–બ્રહ્મમાં-રમત કરે છે. બ્રહ્મના યથાર્થ અનુભવરૂપ જલ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy