SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. ઇકિયે દ્વારા બહારના વ્યાવહારિક પદાર્થોનો અનુભવ કરે તે અવસ્થાને જાગ્રત, જે અવસ્થામાં અંતઃકરણ શરીરની અંદર રહેલી હિતાનાડીમાં મનોમય પદાર્થોને અનુભવે તે અવસ્થાને સ્વપ્ન, ને જે અવસ્થામાં અંત:કરણ પિતાના ઉપાદાનકારણ અજ્ઞાનના અંશમાં વિલીન થઈ જાય તે અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે છે. આત્માનું તે ત્રણે અવસ્થામાં હોવું તે આત્માને અન્વય, ને એ ત્રણે અવસ્થાઓનું આ ત્મામાં ન હોવું તે તે ત્રણે અવસ્થાઓનો વ્યતિરેક જાણો. જાગ્રતમાં હું એવે રૂપે આત્માનું ભાન થાય છે, પણ તે વેલા સ્વપ્ન કે સુ'પ્તિનું ભાન થતું નથી, સ્વપ્નમાં હું એવે રૂપે આત્માનું ભાન હોય છે, પણ તે વેલા જાગ્રત કે સુષુપ્તિનું ભાન હેતું નથી, સુષુપ્તિમાં હું એવી રીતે આત્માનું અસ્પષ્ટ ભાન હોય છે, પણ તે વેલા જાગ્રત કે સ્વનિનું ભાન હોતું નથી અને આત્માકારવૃત્તિમાં આત્માનું સ્પષ્ટ ભાન હોય છે, પણ તે વેલા જાગ્રત, સ્વપન કે સુષુપ્તિ હેતાં નથી. આવી રીતે સર્વ અવસ્થાઓમાં હેવારૂપ આત્માના અન્વયને ને તે ત્રણે અવસ્થાઓનું આત્મામાં ન દેવારૂપ વ્યતિરેકનો વિચાર કરવાથી એક ને અસંગાદિસ્વભાવવાળા આત્માનું ભાન થાય છે. ૪. હવે યોગીએ પિતાના અજ્ઞાનરૂપ શયનસ્થાનને પરિમાણ કેવી રીતે કરવો તે કહે છે – शानाज्ञानविलासोऽयं ज्ञानाज्ञानेन शाम्यति । झानाशाने परित्यज्य ज्ञानमेवावशिष्यते ॥ ५ ॥ આ જ્ઞાન ને અજ્ઞાનને વિલાસ જ્ઞાન ને અજ્ઞાનવડે શાંત થાય છે. જ્ઞાન ને અજ્ઞાનને પરિત્યાગ કરીને જ્ઞાનજ અવશેષ રહે છે.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy