________________
૬૮૮ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. अन्नमयं हि सोम्य मन इत्यादिश्रुतिभ्यः कथं चाहं भिन्नजात्यन्वयसंस्कारवर्जित इत्येतच्छृणु योऽसौ नामरूपयोाकर्ता नामरूपधर्मविलक्षण: स एव नामरूपे व्याकुर्वन् सृष्ट्रेदं शरीरं स्वयं संस्कारधर्मवर्जितो नामरूपे इह प्रविष्टः ॥१५॥
જન્મેલું તે નામ ને આકૃતિને પામેલું જાતકર્મદિ મંત્રવડે સંસ્કાર કરેલું પુનઃ ઉપનયન સંસ્કારના યોગવડે બ્રહ્મચારીનામવાળું થાય છે. તે જ શરીર પત્નીના સંબંધના સંસ્કારના
ગવડે ગૃહસ્થના નામવાળું થાય છે. તેજ વનસ્થના સંસ્કારવડે તપસ્વીના નામવાળું થાય છે. તેજ [શરીર] કર્મની અત્યંતનિવૃત્તિના નિમિત્તના સંસ્કારવડે પરિવ્રાજકના નામવાળું થાય છે. ઈતિ. એવી રીતે તારાથી ભિન્ન જડ, જન્મવાળું, વંશવાળું ને સંસ્કારવાળું [ સ્થલ] શરીર [છે.] મન તથા ઇદ્રિયે નામરૂપાત્મકજ (ભૈતિકજ) [છે. ]
હે પ્રિયદર્શન! મન અન્નના કાર્યરૂપજ [છે,]' ઇત્યાદિ શ્રુતિઓથી. “હું કેવી રીતે જડ, જન્મવાળે, વંશવાળ ને સંસ્કારરહિત [ છું?]” એવા આ [તારા પ્રશ્નનું ઉત્તર ] સાંભળ. જે આ નામરૂપને પ્રકટ કરનાર નામરૂપના ધર્મથી વિલક્ષણ [છે,] તેજ નામરૂપને પ્રકટ કરતે [ 9 ] આ શરીરને રચીને પિતે સંસ્કારના ધર્મથી રહિત અહિં નામરૂપમાં પ્રવેશ પામેલ [છે.] ૧૫.
પરમાત્માજ જે અહિં પ્રવેશ પામેલા હોય તે તે સર્વને કેમ જણાતા નથી ? એમ જે શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે -