SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઉપદેશસહસ્ત્રી–ગલબંધ. ૬૭૭ र्यानृताहकारममत्वादिदोषविवर्जितः। केवलपरानुग्रहप्रयो जनो विद्योपयोगार्थी पूर्वमुपदिशेत् ॥५॥ આચાર્ય તે ઉહથી, અપહથી, ગ્રહણથી, ધારણથી, શમથી, દમથી, દયાથી ને અનુગ્રહ આદિથી સંપન્ન, શાસ્ત્ર જાણનાર, દુષ્ટ (આ લેકના) ને અદૃષ્ટ (પરલેકના) ભેગમાં આસક્તિરહિત, સર્વકર્મનાં [સ્ત્રી આદિ] સાધનેને જેમણે ત્યજી દીધાં છે એવા બ્રહ્મને જાણનારા બ્રહ્મમાં અભેદભાવે] સ્થિત [શાસ્ત્ર કહેલા] આચારનું ઉલ્લંઘન નહિ કરનારા, દંભ, (ધર્મને બેટે 3ળ,) અન્યને ઠગવું, નિષ્ફરતા, બીજાને ભ્રાંતિ ઉપજાવવી, કોઈના ગુણેમાં દોષનું કથન કરવું, મિથ્યાભાષણ, દેહાભિમાન ને [ શિષ્યાદિમાં ] મમતાદિ દોષથી અત્યંતરહિત, કેવલ [ સંસારથી ઉદાસ થયેલા ] અન્યના અનુગ્રહરૂપ પ્રજનવાળા; [] વિદ્યાને [ સુપાત્રે] વિનિયોગ કરવાની ઈચ્છાવાળા [ હોવા જોઈએ. તેઓ આગળ કહેલું [ શિષ્યને] ઉપદેશે. ઉહશિષ્યની સમજણને અનુકૂળ આવે એવી અપૂર્વ યુક્તિની કલપના. અપહ-શિષ્ય જે મિથ્યા ગ્રહણ કર્યું હોય તેને દૂર કરવાનું સામર્થ્ય, અથવા સિદ્ધાંતના સામા પક્ષના નિરાકરણનું સામર્થ. ગ્રહણ–શિખે કરેલા પ્રશ્નોને શીઘ્ર પિતાની બુદ્ધિમાં લઈ લેવાનું સામર્થ. ધારણ –ગ્રહણ કરી લીધેલા તે પ્રશ્નોના સારાસારના નિશ્ચયપૂર્વક ઉત્તર આપતી વેલા સ્મરણની યોગ્યતાની પ્રાપ્તિ. અમદમનાં લક્ષણ કહેવાઈ ગયાં છે. દયા--દુઃખી પ્રાણીઓ પર કરણું. અનુગ્રહ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy