________________
mnevnim
૬૭૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ને. આત્મસ્વરૂપના ઉપદેશવડે ત્યજાવવું. અભિમાન આદિને એમાં આદિ એ શબ્દવડે તેની સાથે સંબંધ રાખનારા અન્યને ધિક્કારવું ઇત્યાદિ વ્યવહારે જાણવા. અધાદિમાંના આદિ શબ્દવડે અકામાદિનું ગ્રહણ કરાય છે. અહિંસાદિમાંના આદિ શબ્દવડે સત્ય, અસ્તેય, ( ચોરી ન કરવી,) બ્રહ્મચર્ય ને અપરિગ્રહનું ( મમતાના અભાવનું ) ગ્રહણ કરાય છે. પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વરભક્તિ નિયમો કહેવાય છે. જ્ઞાનના અવિરોધવાળા આ વિશેષણવડે તીર્થયાત્રા, ચાંદ્રાયણ ને ઉપવાસાદિ જ્ઞાનનિષ્ઠામાં વિક્ષેપ કરનારા નિયમોનું અનાદરણીયાપણું દર્શાવ્યું છે. યમ ને નિયમને ઉપદેશ સર્વ દેશને દૂર કરવાને સાધારણ ઉપાય છે એમ જાણવું. એવી રીતે બ્રહ્મજ્ઞાનમાં પ્રતિબંધ કરનારને દૂર કરનારાં સાધનને ઉપદેશ કરીને હવે જ્ઞાનના ઉદયનાં સાધનને ઉપદેશ કરે છે – અમાનીપણું આદિ જ્ઞાનનાં વિશ સાધનરૂપ જ્ઞાનના સાધનને સારી રીતે દઢ કરાવે. જ્યાં સુધી શિષ્ય કૃતાર્થ ન થાય ત્યાંસુધી સદ્દગુરુએ બ્રહ્મને ઉપદેશ ચાલુ રાખવો જોઈએ. અહિં શિષ્યનાં લક્ષણોનું નિરૂપણ પૂરું થયું. ૪.
એવી રીતે આચાર્યના કર્તવ્યને કહીને હવે તત્વજિજ્ઞાસુએ કેવા આચાર્યને શરણે જવું જોઈએ તે જણાવવા આચાર્યનાં લક્ષણને કહે છે:--
आचार्यस्तूहापोहग्रहणधारणशमदमदयानुग्रहादिसम्पन्नो लब्धागमो दृष्टादृष्टभोगेप्वनासक्तस्त्यक्तसर्वकर्मसाधनो ब्रह्मवित् ब्रह्मणि स्थितोऽभिन्नवृत्तो दंभकुहकशाठ्यमायामात्स