SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઉપદેશસહસ્ત્રી–ગધબંધ. ૬૭ વળી શિષ્યના જ્ઞાનના અગ્રહણને લિંગ વડે જાણીને અગ્રહણના હેતુઓ અધર્મ, હમણુને પ્રમાદ, નિત્ય ને અનિત્ય વસ્તુના વિવેકના વિષયસુધી નહિ પહોંચેલું દૃઢ પૂર્વકૃતપણું, લેકચિંતાને વિચાર, [H] જાતિ આદિના અભિમાન આદિને શ્રુતિએ ને સ્મૃતિએ વિધાન કરેલા તેના પ્રતિપક્ષેવડે દૂર કરે. અક્રોધાદિવડે, અહિંસાદિ વડે, ને જ્ઞાનના અવિરેધવાળા નિયમેવડે [દૂર કરે.] વળી અમાનીપણુદિ ગુણરૂપ જ્ઞાનના ઉપાયને સારી રીતે ગ્રહણ કરાવે. શિષ્યને બ્રહ્મજ્ઞાનના પ્રહણના અભાવને અને અવળા ગ્રહણને તેના મુખાદિની ચેષ્ટા ને બોલવાની રીતભાતરૂપ ચિહેવડે જાણીને તે ગ્રહણના અભાવને અને વિપરીત ગ્રહણના હેતુઓને શ્રુતિ ને સ્મૃતિએ વિધાન કરેલા તેને દૂર કરનારા પ્રતિપક્ષે વડે દૂર કરે. અધર્મને એટલે પાપના સંસ્કારોને સૂર્યાદિ દેવોની ઉપાસનાદિના નિયમના ઉપદેશવડે દૂર કરાવવાગ્યા છે. શાસ્ત્રજ્ઞાનો વિચાર નહિ કરતાં ઈચ્છામાં આવે તેમ વર્તવું, ઇરછામાં આવે તેમ બેલવું, ને ઈચ્છામાં આવે તે ખાવું, એ રૂપ પ્રમાદ ત્યાગ કરવાગ્યના ઉપદેશવડે દુર કરાવવાગ્ય છે. નિત્ય ને અનિત્ય વસ્તુના વિવેકને વિષય જે ચેતન ને અચેતનરૂપ ત્યાં સુધી જે પૂર્વ સાંભળેલું વેદાંતશાસ્ત્ર દઢ ન થયું હોય તેને નાન પ્રકારની યુક્તિઓના નિરૂપણવડે દૂર કરીને તે શ્રવણને વિવેક સુધી પહોચાડવું. લેકેના વ્યવહારના સારાપણને ને નઠારાપણાને વિચાર ચિત્તના વિશે અને હેતુ હેવાથી તે ત્યજવાયોગ્ય છે, એમ સમજાવી તેને ત્યાગ કરાવે. જાતિ, કુલ ને વિદ્યા આદિનું અભિમાન
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy