________________
શ્રીશંકરાચાર્યનો અકાદશ રત્નો.) જેમ [ રસવાળ] ફલના રસને સારી રીતે પીને તે ફલ સુગં. ધથી ભરેલું હોય તે પણ તેને [મનુષ્ય] ત્યાગ કરે છે, તેમ [દ નાનાsત-બ્રહ્મમાં ] જગતુ નથી, આ [ શ્રુતિના] પ્રમાણથી જેનું જગતના આકારનું જ્ઞાન અત્યંત ગળી ગયું છે એવા, અંત:કરણવડે યથાર્થ રીતે ચૈતન્યઘન, એક, અમૃત ને આનંદના કેળીઆના સ્વાદથી તૃપ્ત, સ્વયંપ્રકાશ [] શાંતચિત્તવાળા આ [જીવન્મુક્ત પુરુષ] આ સર્વ જગત્ સારરહિત જાણુંને ત્યજે છે. ૬૮.
જીવન્મુક્તને બાધ પામીને જગતની પ્રતીતિ થાય છે તે પણ તેને કર્મે બંધન કરી શકતાં નથી એમ કહે છે –
क्षीयन्ते चास्य कर्माण्यपि खलु हृदयग्रंथिरुद्भिद्यते वै, छिद्यन्ते संशया ये जनिमृतिफलदा दृष्टमात्रे परेशे । तस्मिंश्चिन्मात्ररूपे. गुणमलरहिते तत्त्वमस्यादिलक्ष्ये, कूटस्थे प्रत्यगात्मन्यखिलविधिमनोऽगोचरे ब्रह्मणीशे ॥१९॥
તે કેવલ ચેતનરૂપ, ગુણરૂપ મેલથી રહિત, તરવતિ (તે તું છે) આદિના લક્ષ્યરૂપ નિર્વિકાર, અંતરાત્મા, સર્વ વિધિવાકાના ને મનના અવિષયરૂપ, પરિચછેદથી રહિત, નિયંતા [] પરમેશ્વરને સાક્ષાત્કાર થવાથી આનાં (આ જીવન્મુક્તનાં) કર્મો નાશ પામી જાય છે, હૃદયની (આત્મા ને અહંકારના કલ્પિત એકપણની) [ બ્રાંતિરૂપ] ગાંઠ ની ભેદાઈ જાય છે, [અને] જન્મમરણરૂપ ફલ આપનારા જે સંશ [ છે તે] નક્કી છેaઈ જાય છે. ૯