SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. આ [આત્મા] પ્રાણવડે વારંવાર જલ પીએ છે, તથા અન્નનું પણ ભક્ષણ કરે છે, ત્યારે તે રૂપ (પ્રાણરૂપ) ઉપાધિથી બલવાળે થયેલે જઠરાગ્નિ ઊતાવળે અથવા હળવે હળવે તેનું (અન્નજલનું) પાચન કરે છે. પછી ઇન્દ્રિયને સારી રીતે તૃપ્ત કરવામાટે વ્યાન શરીરની સર્વ નાડીઓમાં [ પચી ગયેલા અન્નજલના સારભાગરૂ૫] રસને લઈ જાય છે, [અને] આ અપાનનામને [વાયુ તે અન્નજલના ]સારરહિત દુધને (મલમત્રને) શરીરથી બહાર કાઢે છે. [૮૮. હવે પ્રાણના પ્રાણરૂપને નેત્રના નેત્રરૂપ આત્માનું સ્વરૂપ વર્ણવે છે:व्यापारं देहसंस्थः प्रतिवपुरखिलं पंचवृत्त्यात्मकोऽसौ, प्राण: सर्वेद्रियाणामधिपतिरनिशं सत्तया निर्विवादम् । यस्येत्थं चिद्घनस्य स्फुटमिह कुरुते सोऽस्मि सर्वस्य साक्षी, प्राणस्य प्राण एषोऽप्यखिलतनुभृतां चक्षुषश्चक्षुरेपः ॥ ८२ ॥ - આમાં (આ શરીરમાં) જે ચેતનઘનની સત્તાવડે [પ્રાણપાનાદિ] પાંચ વૃત્તિરૂપ, શરીરમાં રહેલે, [અને] સર્વ ઇટ્રિયેને સ્વામી આ પ્રાણ પ્રત્યેક શરીરમાં આમ નિરંતર નિર્વિવાદપણે સર્વ વ્યવહારને સ્પષ્ટ રીતે કરે છે તે સર્વને સાક્ષી [૯] છું. સર્વ શરીરધારીઓના પ્રાણને પ્રાણ આ [છે, ને] નેત્રનું નેત્ર પણ આ [છે.] ૮૯. આ આત્મા સર્વને પ્રકાશના છે એમ નિરૂપણ કરે છે – यं भांतं चिद्धनैकं क्षितिजलपवनादित्यचन्द्रादयो ये, भासा तस्यैव चानु प्रविरलगतयो भान्ति तस्मिन्वसन्ति ।
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy