SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંકરાચાર્યનાં અલ્ટ્રાદશ રત્ના. વેદનું નિત્ય અધ્યયન કરવું, તેમાં કહેલા કનું સારી રીતે અનુષ્ઠાન કરવું, તે કવડે શ્રીઈશ્વરની પૂજા કરવી, કામ્યકર્મોમાં રહેલી પ્રીતિ મૂકી દેવી, પાપના સમૂહને સારી રીતે ધેાઈ નાંખવા, સંસારના સુખમાં દોષનું અનુસંધાન કરવું, આત્માને જાણવાની દૃઢ ઇચ્છા કરવી, તે પછી પોતાના ઘરમાંથી શીઘ્ર નીકળી જવું. દુઃખાભાવ તે પરમાનંદરૂપ મેક્ષને ઇચ્છનાર દ્વિજે પ્રથમ ક્રમેકાંડરૂપ વેદભાગનું શ્રદ્ધા તથા આદરથી અર્થના જ્ઞાનપૂર્વક શુદ્ધ ઉચ્ચાવડે નિત્ય અધ્યયન કરવું. પછી તે કર્મકાંડરૂપ વૈભાગમાં કહેલાં અંતઃકરણને પવિત્ર કરનારાં નિત્યનૈમિત્તિક કર્માનું આ લાક પરલાકના કાંઇ પણ લની ઈચ્છા રાખ્યા વિના–માત્ર પેાતાના અંતઃકરણની શુદ્ધિ નીજ ઇચ્છા રાખીને—રહસ્ય સમજી આદરપૂર્વક સારી રીતે અનુષ્ટાન કરવું. તે નિષ્કામકમેમાં પરમાત્માને અર્પણ કર્યાની ભાવના કરીને તે કાંવડે સજગના નિયામક પ્રભુની પૂજા કરવી. આ લાક પલાકના કાઇ પણ લની ઇચ્છા રાખીને કાઇ પણુ કામ્યકર્મ કરવાની બુદ્ધિ પણ ન કરવી. કામ્યક પુરુષના ભત્રભ્રમણુનો નાશ કરનારું નથી પણ તેના ભવભ્રમણમાં વધારા કરનારું છે, માટેજ તે કરવાનેા વિચાર કરવાની પણ ના પાડી છે. એવી રીતે વેદોક્ત નિયંનૈમિત્તિક કર્મો કરીને તથા કામ્યકર્મના પરિત્યાગ સેવીને પૂર્વના પાપસંસ્કારના સમૂહને પાતાના અંતઃકરણમાંથી સારી રીતે ધાઇ નાંખવે, અર્થાત્ આ શુભ મૈના સંસ્કારના સમૂહવડે તેને ખલડીન એટલે અનુભવાસના ન ઉપ જાવી શકે એવા કરી નાંખવા. એવી રીતે પેાતાના અંતઃકરણને પવિત્ર કર્યા પછી આ સંસારનાં સુખામાં–અજ્ઞાનકાલે અનુકૂલ લાગતા શબ્દાદિ વિષયાથી ને તેનાં સાધના સ્ત્રીદ્રવ્યાદિથી ઉપજતાં કથનમાત્ર વ્યાવહારિક
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy