SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસાધનપંચકસ્તાત્ર. સુખામાં—એ સુખા અસત્, તુચ્છ, બંધક, સાતિશયતાયુક્ત ને પરાધીન છે એમ વારંવાર દોધાનું દૃઢતા ને સાવધાનતાથી અનુસંધાન કરવું. બ્રા કાલથી પુરુષને વિયેામાં રમણીયપણાની બુદ્ધિ હાવાથી તુરત તેમાં દોષદર્શન થાય નહિ, માટે તેમાં રહેલા દોષોનું વારંવાર અનુસંધાન કરવાનું કહ્યું છે. વિષયેામાં દઢ દોષદર્શન થયા વિના વિષયામાં તીત્ર વૈરાગ્ય થાય નહિ, ને તેમ થયા વિના આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણુવાની તીવ્ર ઇચ્છા ઉપજે નહિ. વિષયામાં તીવ્રત્ર વૈરાગ્ય ઉપજ્યા પછી આત્મસ્વરૂપને જાણુવાની અડગ ઇચ્છા કરવી. મનમાં તીવ્ર વૈરા 3 ૫ ને તીત્ર મુમુક્ષુતા ઉત્પન્ન થયા પછી જે પ્રારબ્ધ અનુકૂલ હોય તો . પાતાના ધરમાંથી શીધ્ર નીકળી જવું. જે પ્રતિબંધક પ્રારબ્ધને લીધે નિત્યને માટે ઘરમાંથી ન નીકળી શકાય તે સમયને માટે નીકળી જવું, ને મનને તે। સદાને માટેજ બહાર નીકળી જવા દેવું. મનુષ્યે ધરમાંથી નીકળી જઈ જ્યાં ત્યાં નિરર્યંક ભટકવા કરવાનું નથી, પણ આત્મસ્વરૂપને જાણવામાટે યેાગ્ય પ્રયત્ન કરવાના છે. તે પ્રયત્ન કર્યો. એમ જાણવાની ઇચ્છા થાય તે। આચાર્ય ભગવાન્ તેનું ઉત્તર નીચેના ખીજા ક્ષેાકવડે આપે છેઃ--- . संगः सत्सु विधीयतां भगवतो भक्तिर्दृढा धीयतां, शांत्यादिः परिचीयतां दृढतरं कर्माशु संत्यज्यताम् । सद्विद्वानुपसर्पतां प्रतिदिनं तत्पादुके सेव्यतां, ब्रह्मैकाक्षरमर्थ्यतां श्रुतिशिरोवाक्यं समाकर्ण्यताम् ॥ २ ॥ પછી સત્પુરુષાના સમાગમ કરવા, પરમાત્માની દઢ ભક્તિ કરવી, શાંતિ આદિ શુભગુણાને સારી રીતે સંગ્રહ કરવા, વધારે દઢ કર્મના શીઘ્ર સારી રીતે ત્યાગ કરવા, શ્રાત્રિય ને બ્રહ્મનિષ્ઠ પુરુષનું શરણુ ગ્રહણ કરવું, પ્રતિદિવસ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy