________________
શ્રીશતલા,
૬૫૧
આત્મા સ્થિર [ને] સુખરૂપ અનુભવાય છે, [ અને ] તેથી ભિન્ન [ માયા ] તે બીજા પ્રકારવાળીજ અનુભવાય છે. તેમાં (આત્મામાં ને માયામાં) રહેલું સ્થિરપણુ અને ચંચલપણું આ મનમાં પરિણામ પામે છે, આશ્ચર્ય છે કે જ્યાંસુધી પ્રિય પદાર્થની પ્રાપ્તિ થાય ત્યાંસુધી સેંકડા પ્રયત્નથી વ્યાકુલ થયેલા ] મનનું આ ચંચલપણું દુઃખના હેતુ [થાય છે, અને] તેની [પ્રાપ્તિ થવાથી ] જ્યાંસુધી મનમાં સ્થિરપણું [રહે] ત્યાંસુધીજ વિષયથી થનારું સુખ થાય છે, ૭૩,
यत्सौख्यं रतान्ते निमिषमिह मनस्येकताने रसे स्यात्, स्थैर्य यावत्सुषुप्तौ सुखमनतिशयं तावदेवाथ मुक्तौ । नित्यानंदः प्रशांते हृदि तदिह सुखस्थैर्ययोः साहचर्य, नित्यानंदस्य मात्रा विषयसुखमिदं युज्यते तेन वक्तुम् ॥७४॥
| જેમ આ સભાગના અતિવિષે [ કામ ]મુખમાં મન એકાગ્ર [થવાથી] અલ્પ સમય સુખ થાય છે, [ તથા જેમ ] સુષુપ્તિમાં જ્યાંસુધી [મનમાં] સ્થિરપણું [ રહે છે ] ત્યાંસુધીજ ઘણુ સુખ [થાય છે,] તેમ મુક્તિમાં અંત:કરણ અત્યંત શાંત [થવાથી બ્રહ્માનંદ [પ્રાપ્ત થાય છે, ] તેથી અહિં ( વ્યવહારમાં ) સુખનું ને સ્થિરતાનુ સાથે રહેવાપણું [ અનુભવસિદ્ધ છે, ] માટે આ વિષયસુખ બ્રહ્માનંદના લેશરૂપ [છે એમ ] કહેવુ. યેાગ્ય થાય છે. ૭૪.
જાગ્રના તથા સ્વમના વ્યવહારને ત્યજીને મન આત્મસુખમાટે સુષુપ્તિમાં પ્રવેશ કરે છે એમ જણાવે છે: