________________
રામશતકી . આદિથી પરાભવ નહિ પામેલે, કલ્યાણરૂપTને ઉત્તમ ગતિને] પમાડવાયેગ્ય છે. તે આને અત્યંત કુશલબુદ્ધિવાળા, પ્રશ્નમાં મનની ગતિવાળા, તથા અભ્યાસથી બ્રહ્મભાવને પમાડવાની ઈચ્છા રાખતા, વિવેકયુક્ત મનસહિત ઉંચે (બ્રહ્મરંધ્રમાં) લઈ જાય છે. ૪૫.
હવે વિદેહમુક્તિનું સ્વરૂપ વર્ણવે છે -- प्रायोऽकामोऽस्तकामो निरतिशयसुखायात्मकामस्तदासो, तत्प्राप्तावाप्तकाम: स्थितचरमदशस्तस्य देहावसाने । प्राणा नैवोत्क्रमन्ति क्रमविरतिमिता: स्वस्वहेतौ तदानीं, क्वाय जीवो विलीनो लवणमिव जलेऽखण्ड आत्मैव पश्चात् ॥४६॥
આ [ જીવન્મુક્ત] બહુધા કામનાવિનાને [] નાશ પામેલી કામનાવાળ [ છે.] ત્યારે [તે] નિરતિશયસુખને માટે આત્માની કામનાવાળો[હોય છે.] તેની પ્રાપ્તિમાં [A] પૂર્ણકામ [તથા] છેલ્લી દિશામાં રહેલ [ હોય છે.] તેના શરીરના અંતમાં તેિના પ્રાણે લેકાંતરમાં જતા નથી જ, [ કિંતુ] કમથી ઉપરામ પામેલા પિતા પોતાના કારણમાં લય પામે છે. ત્યારે આ જીવભાવ ક્યાં? [તે વેલા જીવભાવ રહેતું નથી.] જલમાં મીઠાની પેઠે [જીવભાવ ] વિલીન [ થાય છે. ] પછી [તે ] અખંડ આત્માજ [છે.] ૪૬.
જલમાં મીઠાની પેઠે જીવભાવ વિલીન થાય છે એમ કહ્યું તેને પષ્ટ કરીને સમજાવે છે - पिण्डीभूतं यदंर्तजलनिधिसलिलं याति तत्सैंधवारयं, भूयः प्रक्षिप्तमस्मिन्विलयमुपगतं नामरूपं जहाति ।