________________
શ્રીશતકી.
૬૩૩ अभ्यासोऽपि द्विधा स्यादधिकरणवशाहैहिको मानसश्च, शारीरस्त्वासनाद्यो ह्युपरतिपरो ज्ञानयोगः परोक्तः ॥ ४२ ॥ - હવે મુમુક્ષુને પ્રથમ જીવન્મુક્તિ [ છે,] અને પછી વિદેહમુકિત [ છે. તે (બંને પ્રકારની મુક્તિ) શ્રીસદ્દગુરુના ચરણની કૃપાના કટાક્ષના સંબંધવડે પ્રાપ્ત થયેલા અભ્યાસને જ્ઞાનયોગથી [પ્રાપ્ત થાય છે. શરીર ને અંત:કરણરૂપ] આધારના સંબંધથી અભ્યાસ પણ શારીરિક ને માનસ [એમ] બે પ્રકાર છે. [તેમાં ] આસનાદિ તે શારીરિક [ છે, અને ] બીજો ઉપરામ [માન છે. તેમાં ] જ્ઞાનગ શ્રેષ્ઠ જ કહે છે. કર.
હવે જીવન્મુક્તિને પામેલા જીવન્મુક્તના સ્વરૂપનું નિરૂપણનીચેના બે કેવડે કરે છે – सर्वानुन्मूल्य कामान् हृदि कृतनिलयान्क्षिप्तशंकूनिवोच्चैीर्यदेहाभिमानस्त्यजति चपलतामात्मदत्तावधानः । यात्यूलस्थानमुच्चैः कृतसुकृतभरो नाडिकाभिर्विचित्रं, नीलश्वेतारुणाभिः स्रवदमृतभरं गृह्यमाणात्मसौख्य: ॥४३॥
બલપૂર્વક નાંખેલા ખીલાઓની પેઠે હદયમાં ઘર કરીને રહેલી સર્વ કામનાઓને મૂલસહિત ઉખેડી નાંખી જેણે દેહાભિમાનને નાશ કર્યો છે એ [તથા] આત્મામાં જેણે એકાગ્રતા રાખી છે એ [જીવન્મુક્ત પિતાના મનના] ચપલપણાને ત્યાગ કરે છે. [૫] જેણે ઘણું પુણ્ય કર્યા છે એ [અને] આત્માનંદને અનુભવ કરનારે [જીવન્મુકત ] નીલરંગની, ધળા રંગની, ને રાતા રંગની નાડીઓ વડે વિચિત્ર [તથા]