________________
૬૨૮
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. | સ્વપ્નાવસ્થામાં અનુભવેલું [જે] શુભ અને અશુભ તે જાગ્રતમાં મિથ્યા થાય છે, [તથા ] જાગ્રમાં [જે] સ્થલશરીરના
વ્યવહારના [શુભ કે અશુભ] વિષય તે સ્વપ્નના સમયમાં મિથ્યા [ થાય છે.] આવી રીતે બંને પ્રકારે નિરંતર [ તેમના] મિથ્યાપણાની સિદ્ધિમાં [તથા] અહિંજ આ તેને પ્રકાશક વિદ્યમાન છતાં [પણ] તેમાં (તે બંને અવસ્થાના શુભાશુભ વ્યવહારમાં) અવિવેકી [જે] આસક્તિવાળે થાય છે, આ શાથી [થાય છે] તે અમે જાણતા નથી. ૩૪. . जीवन्तं जाग्रतीह स्वजनमथ मृतं स्वप्नकोले निरीक्ष्य, निवेदं यात्यकस्मान्मृतममृतममुं वीक्ष्य हर्ष प्रयाति । स्मृत्वाप्येतस्य जंतोनिधनमसुयुर्ति भाषते तेन साकं सत्येवं भाति भूयोऽल्पकसमयवशात्सत्यता वा मृषात्वम् ।।
અહિં (આ લેકમાં) જાગ્રતવિષે જીવતા પિતાના સંબંધીને પછી સ્વપ્નના સમયમાં મુએ જોઈને અકસ્માત દુઃખને પામે છે, અથવા જાગ્રમાં મુએલા આને [ સ્વપ્નમાં ] જીવતે જોઈને હર્ષ પામે છે. [જાગ્રતમાં આ પ્રાણીના મરણનું મરણ કરીને પણ [અથવા જીવતાના] જીવનનું [સ્મરણ કરીને પણ] તેની સાથે [મને રાજ્યને વશ થઈ] બલવા લાગે છે, આમ છતાં લાંબા સમય ને ટૂંકા સમયને લીધે [ જાગ્રતમાં] સત્યપણું કિંવા [ સ્વપ્નમાં 3 મિથ્યાપણું ભાસે છે, [ પણ વિચારદૃષ્ટિથી બંનેનું મિથ્યાપણું છે. ] ૩૫.
આ જગતના વ્યાવહારિક સત્યપણાને જણાવે છે –