________________
શ્રીશતલાકી.
૬૧૭
ખરી પડેલાં રૂપ ભિક્ષાન્નની ઇચ્છાકરે; અને સુખરૂપ પોતાના આત્મસ્વરૂપમાં પ્રવેશ કરવામાટે તે નિશ્ચય શરીરથી પણ બહાર નીકળી જાય. ( દેહાભિમાનના પરિત્યાગ કરે. ) ૧૭,
વૈરાગ્યને અભાવે ઉત્પન્ન થતા કામ, ક્રોધ ને લેાભના ત્યાગની અગત્ય તથા તેમના ત્યાગના ઉપાયનું નિરૂપણ કરે છેઃ—
कामो बुद्धाबुदेति प्रथममिह मनस्युद्दिशत्यर्थजातं, तद्गुहातींद्वियास्यैस्तदनधिगमतः क्रोध आविर्भवेच्च । प्राप्तावर्थस्य संरक्षणमतिरुदितो लोभ एतत्रयं स्यात्, सर्वेषां पातहेतुस्तदिह मतिमता त्याज्यमध्यात्मयोगात् ॥ १८॥
અહિં ( આ જગમાં ) પ્રથમ [મનુષ્યાદિની ] બુદ્ધિમાં વિષયતૃષ્ણા ઉપજે છે, [ પછી તે] મનમાં વિષયસમૂહ મેળવવામાટે યત્ન કરે છે, [ને ] તેને (તે વિષયને) ઇંદ્રિયારૂપ મુખેાવડે ગ્રહણ કરે છે, અને તેની અપ્રાપ્તિથી [ મનમાં ] ક્રોધ આવિભાવ પામે છે. વિષયની પ્રાપ્તિમાં [ જે તેના ] સ ંરક્ષણની બુદ્ધિ [તે] રૂપ લાભ ઉદય પામે છે. આ ત્રણ સર્વેના ( સર્વ જીવાના ) પતનના હેતુરૂપ [છે, ] તેથી અહિં બુદ્ધિમાને [પોતાના ચિત્તને ] આત્મામાં સુસ્થિર કરવાવડ [ તે ત્રણે ] ત્યજી દેવાચેાગ્ય [છે. ] ૧૮,
દાનાદિ ઉપાયેાવડે મેાક્ષમાં પ્રતિબંધ કરનાર અદાનાદિને પરિત્યાગ કરવાને ઉપદેશ કરે છે:-~~
दानं ब्रह्मार्पणं यत्क्रियत इह नृभिः स्यात्क्षमाक्रोधसंज्ञा, श्रद्धाऽऽस्तिक्यं च सत्यं सदिति परमतः सेतुसंशं चतुष्कम् ।