________________
૧૪
શ્રીશંકરાચાર્યનાં અન્નદશ રત્ના.
वैराजध्यष्टिरूपं जगदखिलमिदं नामरूपात्मकं स्या, दंतःस्थप्राणमुख्यात्प्रचलति च पुनर्वोत्ति सर्वान् पदार्थान् । नायं कर्ता न भोक्ता सवितृवदिति यो ज्ञानविज्ञानपूर्ण, साक्षादित्थं विजानन्व्यवहरति परात्मानुसंधानपूर्वम् ॥ १३ ॥
આ સ` નામરૂપવાળું જગત્ વિરાટ્ન (સ્થૂલસમષ્ટિના અભિમાની બ્રહ્મનુ) વ્યષ્ટિરૂપ ( અંશરૂપ ) છે, અને પુનઃ અંતરમાં રહેલ પ્રાણુના કરતાં શ્રેષ્ઠથી ( ચેતનથી ) વ્યવહાર કરે છે, [ તથા તેથીજ ] સર્વે પદાર્થોને જાણે છે. સૂર્યની પેઠે આ કતા નથી, [ને] ભોકતા [ પણ] નથી, એમ જે શાસ્ત્રજ્ઞાન ને અનુભવથી પૂર્ણ [થાય છે, તે] સાક્ષાત્ આવી રીતે અનુભવતે [છતા] શુદ્ધાત્માના અનુસંધાનપૂર્વક વ્યવહાર કરે છે. ૧૩,
એ પ્રકારના વૈરાગ્યનુ પ્રતિપાદન તથા બે પ્રકારના સંન્યાસનું પ્રાંતનારૂપે કથન કરે છેઃ-
नैवेद्यं ज्ञानगर्भ द्विविधमभिहितं तत्र वैराग्यमाद्यं, प्रायो दुःखावलोकाद्भवति गृहसुहृत्पुत्रवित्तैषणादेः । अन्यज्ज्ञानोपदेशाद्यदुदितविषये वांतवद्धेयता स्यात्, प्रव्रज्यापि द्विधा स्यान्नियमितमनसां देहतो गेहतश्च ॥ १४ ॥
દુઃખથી ઉપજેલા [ને ] જ્ઞાનથી ઉપજેલા [ એમ ] એ પ્રકારની વિરાગ કહ્યો [ છે. ] તેમાં પ્રથમ ( દુ:ખથી ઉપજેલા ) મહુધા ઘર, મિત્ર, પુત્ર ને દ્રવ્યની તૃષ્ણાથી થતા દુ:ખના અનુભવથી થાય છે, [ અને ] બીજો ( જ્ઞાનથી ઉપજેલા ) જ્ઞાનના ઉપદેશથી [ થાય છે, ] જેથી કહેલા [ ઘર આદિ ] વિષયમાં વમન