________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. શકે એવું, જે મન ને વાણીઓના અવિષયરૂપ, એકજ [] અદ્વિતીય બ્રહ્મ [છે,] આમાં કાંઈ પણ ભેદ નથી. ૪૬૯.
सत्समृद्धं स्वतःसिद्धं शुद्धं बुद्धमनीदृशम् । एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४०॥
સપ, [ સર્વનું અધિષ્ઠાન હોવાથી ] સર્વ ઐશ્વર્યવાળું, પિતાની સિદ્ધિ માટે અન્યની અપેક્ષા નહિ કરનારું, પવિત્ર, ચેતનસ્વરૂપ, ઉપમારહિત, એકજ [] અદ્વિતીય બ્રા [ છે,] આમાં કાંઈ પણ ભેદ નથી. ૪૭૦.
આત્માકારવૃતિવડે જીવન્મુકતો પરમાનંદનો અનુભવ કરે છે એમ જણાવે છે – निरस्तरागा विनिरस्त भोगाः,शान्ताःसुदान्तायतयो महान्तः। विज्ञाय तत्त्वं परमेतदन्ते, प्राप्ताः परां निवृत्तिमात्मयोगात् ॥
જેમણે વિષયેચ્છા ત્યજી દીધી છે, જેમણે વિષયના ઉપભેગને અત્યંત ત્યાગ કર્યો છે, મનને વશ રાખનારા, ઇંદ્રિયને અત્યંત વશ વર્તાવનારા, [ને] આત્મામાં મનને એકાગ્ર રાખનારા મહાત્માઓ અંતે આ પરબ્રહ્મને અનુભવીને આત્માના સંબંધથી પરમાનંદને પામેલા [ હોય છે.] ૪૭૧.
તું પણ તેવી સ્થિતિને પ્રાપ્ત કર એમ તે શરણાગત શિષ્યને કહે છે – भवानपीदं परतत्वमात्मनः, स्वरूपमानन्दघनं विचार्य । . विधूय मोहं स्वमनःप्रकल्पितं, मुक्तः कृतार्थो भवतु प्रबुद्धः॥
તું પણ પરમતત્વરૂપ [ને] આનંદઘનરૂપ આત્માના