________________
૫૫૫
શ્રીવિચૂડામણિ. देहेन्द्रियादो कर्तव्ये ममाहंभाववर्जितः । औदासीन्येन यस्तिष्ठेत्स जीवन्मुक्तलक्षणः ॥४३६ ॥
જે સ્થલશરીર ને ઇન્દ્રિયાદિમાં તથા ક્તવ્યમાં વા ગ્રહાદિમાં ] અહંતા ને મમતાથી રહિત [થઈ ] રાગદ્વેષથી રહિતપણવડે રહે તે જીવન્મુક્તના લક્ષણવાળ [ છે.] ૪૩૬.
विज्ञात आत्मनो यस्य ब्रह्मभावः श्रुतेबलात् । भवबन्धविनिर्मुक्तः स जीवन्मुक्तलक्षणः ॥ ४३७ ॥
જેણે [“અમામા ત્રણ”આ આત્મા બ્રહ્મ છેઇત્યાદિ] શ્રુતિના વિચારથી આત્માનું (પોતાનું) બ્રહ્મપણું અનુભવ્યું છે, [ને જે જન્મમરણાદિરૂપ] સંસારના બંધનથી અત્યંત મોકળો થયેલ છે તે જીવન્મુક્તના લક્ષણવાળ [છે.] ૪૩૭.
देहेन्द्रियेष्वहंभाव इदंभावस्तदन्यके । यस्य नो भवत: कापि स जीवन्मुक्त इष्यते ॥४३८॥
જેને સ્થલશરીરમાં ને ઇન્દ્રિમાં હુંપણું [અને] તેનાથી ભિન્ન ઘટાદિમાં] આપણું કદીપણ થતાં નથી તે જીવન્મુક્ત કહેવાય છે. ૪૩૮.
न प्रत्यग्ब्रह्मणो भेदं कदापि ब्रह्मसर्गयोः । प्रक्षया यो विजानाति स जीवन्मुक्तलक्षणः ॥४३९॥
જે [પુરુષ] યથાર્થજ્ઞાનવડે અંતરાત્માના ને બ્રહ્મના [તથા] બ્રહ્મના ને જગતના ભેદને કદીપણ જાણતા નથી તે [પુરુષ] જીવન્મુક્તના લક્ષણવાળે [ છે.] ૪૩૯