________________
૫૫૦.
અને
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. यत्कृतं भ्रान्तिवेलायां नाना कर्म जुगुप्सितम् ॥ पश्चान्नरो विवेकेन, तत्कथं कर्तुमर्हति ॥ ४२१ ॥
જે ઉત્તરઉત્તરને (શાંતિને, ઉપરતિને આત્મજ્ઞાનને) અભાવ [હાય] તે પૂર્વ પૂર્વનાં (ઉપરતિ, આત્મજ્ઞાનને વૈરાગ્ય) ફલરહિત [જાણવાં. બહારના વિક્ષેપને] નાશ, અવધિરહિત તૃપ્તિ, વિષયસંબંધવિના ઉપમારહિત આનંદ, [] સંસારનાં દુઓમાં ઉગરહિતપણું [ આ ] બ્રહ્મજ્ઞાનનું ફલ કહેલું [ છે.] ભ્રાંતિના સમયમાં [અવિવેકવડે ] જે નાના [ પ્રકારનું ] ગ્લાનિ ઉપજે એવું કર્મ કર્યું હોય તે પછી (જ્ઞાનના સમયમાં) વિવેકવડે મનુષ્ય કરવાને કેવી રીતે સમર્થ થાય? [ નજ થાય.] ૪ર૦-૪૨૧.
આત્માના જ્ઞાનના અને આત્માના અજ્ઞાનના ફલને દષ્ટાંત આપીને કહે છે – विद्याफलं स्यादसतो निवृत्तिः, प्रवृत्तिरज्ञानफलं तदीक्षितम् । तज्ज्ञाशयोधन्मृगतृष्णिकादौ, नोचेद्विदां दृष्टफलं किमस्मात्॥
જ્ઞાનનું ફલ મિથ્યાથી નિવૃત્તિ છે, [અને] અજ્ઞાનનું ફલ [ મિથ્થામાં ] પ્રવૃત્તિ [છે, ] [ બંને ] જેથી ઝાંઝવાના પાણી આદિમાં જાણનાર તથા નહિ જાણનારનાં જોયાં છે, તેથી ઉપર કહેલું સિદ્ધ થાય છે,] નહિ તે આથી (આ આત્મજ્ઞાનથી) જ્ઞાનીને દેખીતું ફલ શું? [ કાંઈ નહિ.] ૨૨.
જે જ્ઞાનવડે વિષયેચ્છાને સંપૂર્ણ નાશ થ5 જાય તે પછી જડ વિષયો તે જ્ઞાનીને ખેંચી શકતા નથી એમ જણાવે છે –