________________
૫૪;
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. સ્વભાવવાળા, એકરસ, નિરુપમ, [પ્રત્યક્ષાદિ] પ્રમાણના અવિષયરૂપ, ઉપનિષદ્દના વચનથી સિદ્ધ, નિરંતર હંના [વિષયરૂપે] પ્રસિદ્ધ, [ને] અપરિછિન બ્રહ્મને સમાધિવિષે [પિતાના] હદયમાં એગી સાક્ષાત્કાર કરે છે. ૪૦૯.
अजरममरमस्ताभाववस्तुस्वरूपं, स्तिमितसलिलराशिप्रख्यमाख्याविहीनम् । शमितगुणविकारं शाश्वतं शान्तमेकं, हृदि कलयति विद्वान्ब्रह्म पूर्ण समाधौ ॥ ४१०॥
વૃદ્ધાવસ્થાથી રહિત, મરણુરહિત, [ સર્વ ] અભાવે જેમાં લીન થાય છે એવા સત્યસ્વરૂપવાળા, નિશ્ચલ સાગરના જેવા, નામરહિત, (શબ્દની શક્તિવૃત્તિના અવિષયરૂપ,) [ ત્રણ ] ગુણેના વિકારેને જેમાં અભાવ છે એવા, અનાદિ, વિક્ષેપથી રહિત, એક [] અપરિચ્છિન્ન બ્રહ્મને સમાધિમાં યોગી [પિતાના] હૃદયવિષે સાક્ષાત્કાર કરે છે. ૪૧૦.
કેવા ઉપાયથી પુરુષપણું સફલ કરવું તે કહે છે:समाहितान्तःकरण: स्वरूपे, विलोकयात्मानमखण्डवैभवम् । विच्छिन्धि बन्धं भवगन्धगान्धतं, यत्नेन पुंस्त्वं सफलीकुरुष्व ॥
[હે સામ્ય! તું ] એકાગ્ર અંત:કરણવાળો [થઈ] આત્મસ્વરૂપમાં આત્માના અવિનાશી [આનંદરૂ૫] વૈભવને સાક્ષાત્કાર કર, [અને] સંસારની વાસનાના સંબંધવાળા બંધને અત્યંત કાપી નાંખ તું [ આવા] યત્નવડે [ તારું] પુરુષપણું સફલ કર. ૪૧૧.