________________
શ્રી વવેકચૂડામણિ.
૧૩૩
वैराग्यबोधो पुरुषस्य पक्षिवत्पक्षौ विजानीहि विचक्षण त्वम् । विमुक्तिसौधाग्रलताधिरोहणं, ताभ्यां विना नान्यतरेण सिध्यति ॥ હું ચતુર ! તું વૈરાગ્ય તથા જ્ઞાનને પુરુષની પક્ષીના જેવી પાંખા જાણુ. તે અને વિના [ માત્ર તે] એમાંના એકવડે [ મુમુક્ષુને ] મુક્તિરૂપ મહેલના ઉપરના ભાગમાં રહેલી લતાની પ્રાપ્તિ સિદ્ધ થતી નથી. ૩૭૪.
અખંડાનંદના અનુભવ અન્ય વૈરાગ્યવાળાને થાય છે એમ કહે છે:अत्यन्तवैराग्यवतः समाधिः, समाहितस्यैव दृढप्रबोधः । प्रबुद्धतत्त्वस्य हि बन्धमुक्तिर्मुक्तात्मनो नित्यमुखानुभूतिः ॥
તીવ્રવૈરાગ્યવાળાને સમાધિ, સમાધિવાળાનેજ સંશયાદિ રહિત આત્મસાક્ષાત્કાર, આત્મસાક્ષાત્કારવાળાનેજ [ અવિદ્યાદિ]. ખંધથી મુક્તિ, [ અને ] મુક્ત અંત:કરણવાળાને અખંડાનંદના અનુભવ [ થાય છે. ] ૩૭૫.
પુન: પણ વૈરાગ્યનું માહાત્મ્ય વર્ણવે છેઃ—
वैराग्यन्न परं सुखस्य जनकं पश्यामि वश्यात्मनस्तच्चेच्छुद्धतरात्मबोधसहितं स्वाराज्यसाम्राज्यधुक् । एतद्वारमजस्र मुक्ति युवतेर्यस्मात्त्वमस्मात्परं, सर्वत्राम्पृहा सदात्मनि सदा प्रशां कुरु श्रेयसे ॥ ३७६ ॥ જેણે પોતાના અંત:કરણને વશ કર્યું છે. એવાને વૈરાગ્યથી ભિન્ન [ કાઇ પણ] સુખનું સાધન [હું] જોતા નથી, તે [વૈરાગ્ય] જો અતિશુદ્ધ આત્મજ્ઞાનસહિત [હાય તે] બ્રહ્માનદરૂપ અનવધિ ઐશ્વર્ય આપનાર [થાય છે. ] જેથી આ અખંડમુક્તિરૂપ સ્ત્રીનુ