________________
શ્રીવિવેકચૂડામણિ.
૪૪૩. યથાર્થજ્ઞાનરૂપ વૃત્તિવડે [ ભૂલશરીર તથા ઇકિયાદિ અનાભામાંથી આત્માની બુદ્ધિને ત્યાગ કર. ૨૬૯.
કેવી રીતે વર્તી ભ્રાંતિની નિવૃત્તિ કરવી તે કહે છે – लोकानुवर्तनं त्यक्त्वा त्यक्त्वा देहानुवर्तनम् । शास्त्रानुवर्तनं त्यक्त्वा स्वाध्यासापनयं कुरु ॥ २७० ॥
લોકોને [પ્રસન્ન કરવા તેમને ] અનુસરવાનું છડી દઇને, શરીરને [પુષ્ટ કરવા તથા તેને સુંદર દેખાડવારૂપ તેને] અનુસરવાનું છેડી દઈને, [અને] શાસ્ત્રને (ઘણાં શાસ્ત્રો વાંચવાં તથા એક શાસ્ત્રને વારંવાર પાઠ કરે એ રૂપ તેને) અનુસરવાનું છેવને પોતાની [ અનાત્મામાં આ ભાની ] બ્રાંતિને દૂર કર. ૨૭૦.
લોકવાસનાદિ વાસનાઓ યથાર્થ જ્ઞાન ઉત્પન થવા દેતી નથી એમ કહે છે :
लोकवासनया जन्तोः शास्त्रवासनयाऽपि च । देहवासनया ज्ञानं यथावन्नैव जायते ॥ २७१ ॥
મનુષ્યને લેકવાસનાવડે, (લેકમાં વખણાવાની લાલસાવડે,) અને શાસ્ત્રની વાસનાવડે (ઘણાં શાસ્ત્રો વાંચવાની તથા એકજ શાસ્ત્રને વારંવાર વાંચવાની લાલસાવડે) તથા શરીરની વાસનાવડે (શરીરને પુષ્ટ ને સુંદર રાખવાની લાલસાવડે) યથાર્થ જ્ઞાન થતું નથી જ. ૨૧.
એ ત્રણ વાસનાઓથી મોકળા થયેલાને મોક્ષ થાય છે એમ કહે છે –