________________
શ્રીવિવેચૂડામણિ.
४८१ (ઉપર) કહેલા આ અર્થની પિતે પિતાના અંતાકરણમાં [કૃતિને અનુસરતી પ્રસિદ્ધ યુક્તિઓ વડે (શુદ્ધ) બુદ્ધિથી ભાવના કરે; તે વડે તેિને સંશયાદિથી રહિત હાથમાં રાખેલા [નિર્મલ જલની પેઠે બ્રહ્મને સાક્ષાત્કાર થશે. ૨૬૪.
બ્રહ્મના સાક્ષાત્કારથી પ્રાપ્ત થનારી બ્રહ્મનિકાને કહે છે – संवोधमात्रं परिशुद्धतत्त्वं, विज्ञाय सधे नृपवञ्च सैन्ये । तदाश्रयः स्वात्मनि सर्वदा स्थितो, विलापय ब्रह्मणि विश्वजातं॥२६५।।
સિન્યમાં સેિનાના સ્વામી રાજાની પેઠે [શરીરાદિ] સમૂહમાં [સમૂહના સ્વામી કેવલજ્ઞાનવરૂપ [ને અવિદ્યા તથા તેના કાર્યરૂપ) મલથી અત્યંતરહિત આત્માને ભાવનાના પરિપાકવડે સાક્ષાતકાર કરીને તે[સંઘાત)ના અધિષ્ઠાનરૂપ થઈ બ્રહ્મરૂપ પિતાના આત્મામાં સર્વદા સ્થિત [થઈને સર્વ જગતને બ્રહ્મમાં લય કર. ર૬પ.
હવે બ્રહ્મનિષ્ઠાનું કુલ કહે છે – बुद्धौ गुहायां सदसद्विलक्षणं, ब्रह्मास्ति सत्यं परमद्वितीयस् । तदात्मना योऽत्र वसेद्गुहायां, पुनर्न तस्याङ्ग गुहाप्रवेशः॥ २६६ ॥
બુદ્ધિરૂપ ગુફામાં કાર્યને કારણથી વિલક્ષણ, સત્યરૂપ, શ્રેષરૂપ, અદ્વૈત બ્રહ્મ છે. તે બ્રહ્મ]રૂપે જે [બ્રહ્મવેત્તા] આ ગુફામાં વસે છે તેને હે પ્રિય ! પુનઃ [માતાના ઉદરરૂ૫] ગુફામાં પ્રવેશ [થતા નથી. ૨૬.
બ્રહ્મનિવડે ને વાસનાની શિથિલતાવડે મુક્તિલાભ થાય છે એમ કહે છે –