SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ * ૫ ઉદ્ધતાઈભરેલી પ્રવૃત્તિ જે સુરેશ્વરે આચાર્યભગવાનને વિનતિ કરી કે--“હે પ્રભો ! જે આપ કૃપા કરીને મને આજ્ઞા આપે તે હું જ આ બ્રાહ્મણની સાથે વાત કરું.” સુરેશ્વરને યાદ કરવા માટે તૈયાર થયેલા જોઈ નીલકંઠે તેમને કહ્યું કે:--“હું તમારી સાથે વાદ કરવા આવ્યો નથી, હું તે તમારા ગુરુની સાથે વાદ કરવા આવ્યો છું.” એમ કહી પછી તે પિતાના મતનું ખંડન કરવા લાગ્યો, ત્યારે આચાર્ય ભગવાને તેના દૈવમનનું શ્રુતિ ને યુક્તિથી ખંડન કરવા માંડયું. અ તે નીલકંઠ પિતાના મતનું ખંડન કરવાનું કામ મૂકી દઈને અદ્વૈતમતનું ખંડન કરવા પ્રાપ્ત થશે. તેણે કહ્યું કે –“તમે તત્વમસિ” આ વેદવાક્યથી જીવને તથા ઈશ્વરને અભેદ માને છો, તે મેગ્ય નથી, કેમકે અંધારા ને અજવાળાના જેવા વિરોધી સ્વભાવવાળા તે બંનેનું પરસ્પર એકપણું સંભવતું નથી.” તેનું સમાધાન કરવા આચાર્ય ભગવાને આ પ્રમાણે કહ્યું-“જીવ તથા ઈશ્વરને અવિધા ને માયારૂપ ઉપાધિથી તથા તેમના અલ્પપણું, અપશક્તિવાળાપણું, પરિચ્છિન્નપણ ને પરતંત્રપણું આદિ અને સર્વાપણું, સર્વશક્તિવાળાપણ, વ્યાપકપણ ને સ્વતંત્રપણે આદિ ધર્મથી ભેદ છે, પણ તે બંનેના શુદ્ધ ચેતનસ્વરૂપમાં લેશ પણ ભેદ નથી. આવી રીતે તે બંનેમાં રહેલા વિરેાધી ભાગોને પરિત્યાગ કરી દેતાં તે બંનેમાં રહેલા અવિરોધી ભાગરૂપ ચેતનની એકતા હેવાથી તે બંનેને અભેદ સંભવી શકે છે.” ત્યારપછી કેટલાક શાસ્ત્રાર્થ થતાં નીલકંઠના પુણ્યને ઉદય થવાથી તેના મનનું સમાધાન થયું તેથી તે પિતાના શિષ્યો સહિત આચાર્યભગવાનને શરણે આવ્યા. પછી જનસમૂહનું હિત સાધતા સાધતા આચાર્યભગવાન કાઠીઆવાડનાં કેટલાક સ્થલોમાં વિચરી દ્વારકા પધાર્યા. ત્યાં તથા અન્ય સ્થળે અકૅડમતને ઉપદેશ કરી, મુમુક્ષુઓના હૃદયમાં દુખારહિત
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy