________________
પરમાનંદસ્વરૂપના પ્રકાશ પાડી, આચાર્યભગવાન કરતા કરતા ઊજણુમાં પધાર્યા. ત્યાં એક ભટ્ટભાસ્કરનામના ભેદાભેદવાદી વિદ્યાભિમાની પંડિત રહેતા હતા. તેની સાથે શાસ્ત્રાર્થ થતાં તેને અદ્વૈતવાદનુ રહસ્ય સમજાવી આચાર્યભગવાને પોતાના શરણના પરમલાભ આપ્યા. તે સમયના અન્ય સમર્થ પડિતાને તથા મતવાદીને પણ આચાર્યભગવાને વેદાનું વાસ્તવિક તાત્પર્ય સમજાવી ભેદવાદના દુરાગ્રહથી મુક્ત કરી અદ્વૈતવાદમાં અનુરાગવાળા કર્યા.
,
દેશદેશના મુમુક્ષુઓને પેાતાના દર્શન, સેવા, સમાગમ, સંભાષણુ મૈં ઉપદેશ આદિના લાભવડે પવિત્ર કરતા કરતા આચ ર્યભગવાન્ કામરૂપદેશમાં ( આસામપ્રાંતમાં પધાર્યા. ત્યાં અભિનવગુપ્તનામના એક શાક્તમતને પંડિત હતા તેના આચાર્યભગવાને શાસ્ત્રાર્થમાં પરાજય *ર્યાં. તે કપટભાવથી આચાર્યભગવાનના શિષ્યજેવા થને આચાર્યભગવાનની પાસે રહેવા લાગ્યા. તે દુષ્ટ અભિપ્રાયવાળા અભિનવગુપ્ત આચાર્યભગવાનના શરીરનેા પાત કરવા ઇચ્છતા હતા, તેથી તેણે આચાર્યભગવાનના સ્થૂલશરીરને ઉપદ્રવ કરી તેનેા પાત કરવાની ઇચ્છાથી મોંત્રપ્રયાગ કર્યાં. આ પ્રયાગથી આચાર્યભગવાનના શરીરમાં અસાખ રાગની, શિષ્યાની સેવાની કસટી કરવામાટે, અને આચાર્યભગવાનના હૃદયની તિતિક્ષા પ્રકટ કરવામાટે, પ્રતીતિ થઇ. આ વેલા તેાટક ઘણા પ્રેમ, માન ને સાવધાનતાથી આચાર્યભગવાનની સેવા કરતા હતા. ધણુા શિષ્યાએ અચાનક પ્રાદુર્ભાવ પામેલા એ રાગની નિવૃત્તિ કરવામાટે ચાગ્ય આધાપચાર કરાવવાની આચાર્યભગવાનને પ્રાર્થના કરી, ત્યારે પોતાના સ્થૂલશરીરઉપર મમતા નહિ હોવાથી તેઓશ્રીએ તે શિષ્યાને કહ્યું કે:--“ પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા આ રાગ ભાગવડે નાશ થાય એજ ઠીક છે. ” પુન: શિષ્યાએ આષધેાપચાર કરાવવાની વારંવાર વિનતિ કરવા માંડી, ત્યારે તેમના અત્યાગ્રહને માન આપી આચાર્યભગવાને આષધ કરાવવાની હા પાડી. શિષ્યાએ